________________
૬૪
ધરતી માતા બદલે તેના ઉપર થતા રોગોને જ અગત્ય આપી, ઝેરી છાંટણા વગેરેથી તેમને સુરક્ષિત કરવા તાકે છે. તેથી સરવાળે એ છોડ તો મ જ જાય છે; પણ એ છોડ ઉપર થતો પાક એ જંતુનાશકોના ઝેરની અસરવાળો બની જઈ, તે ખાનાર પ્રાણીઓ કે માનવોના આરોગ્ય માટે પણ જોખમ ઊભું થાય છે.
ખરી રીતે પાકને થતા રોગો તેના છોડના આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે, એટલે તે છોડનું આરોગ્ય શાથી કથળ્યું છે તે જાણવા માટે તે જે જમીનમાં ઊગે છે તે જમીન કેવી કથળી છે, તેનું આરોગ્ય કેવું બગડ્યું છે, તે તપાસવું જોઈએ. તેમાં જોઈતો સુધારો થતાં જ છોડનું અને પાકનું આરોગ્ય આપોઆપ એવું સુધરી જાય છે કે એ રોગો તેને મારી નાખી શકતા નથી કે નબળો પાડી શકતા નથી. પરિણામે તેના ઉપર ઝેરી છાંટણાં છાંટવાની પણ કંઇ જરૂર રહેતી નથી.
નીચે, સર આલ્બર્ટ હાવર્ડ જુદાં જુદાં ધાન્ય, ચા-કૉફી, તમાકુ, અને જુદાં જુદાં શાક-ફળ વગેરે અંગે કરેલા અખતરા તથા મેળવેલા અનુભવોની રજૂઆત ટૂંકમાં કરવામાં આવી છે.
૧. શેરડી શેરડી વાવવા માટે પહેલાં જમીન ખોદીને બે ફૂટ પહોળા અને છ ઇંચ ઊંડા ચાસ બનાવવા જોઈએ. એની નીકળેલી માટીની દરેક ચાસને કિનારે ઊંચી લાંબી પાળ બનાવી દેવી. નવેમ્બર મહિનામાં એ ચાસ પાળા સાથે તૈયાર થાય કે તરત ચાસને વધુ છ ઇંચ ખેડી તેની માટીમાં કૉપોસ્ટ ખાતર બરાબર ભેળવવું. પછી તેમાં પાણી ફેરવી, વરાપ આવે ત્યારે ચાસ ખેડી નાખીને ફેબ્રુઆરીમાં શેરડીની વાવણીને વખત થાય ત્યાં સુધી જમીન પડતર રહેવા દેવી. પછી ચાસમાં શેરડી વાવ્યા બાદ પાણી ફેરવી, વરાપ આવે ત્યારે ચાસની જમીન હળવી ખેડી નાખવી; જેથી અંદર ભીનાશ વધુ વખત જળવાઈ રહે. એમ ચાર કે પાંચ પાણ દેવાં પડે. દરેક પાણ દીધા પછી વરાપ આવ્યું ચાસને હળવા ખેડી નાખવા. પછી તે વરસાદ આવવાનો થશે એટલે