________________
૩૪
ધરતી માતા કાળજી રાખે? તેઓએ તો એ જમીન ઉપર મબલખ પાક લણી લણી યુરોપનાં અનાજની તંગીવાળાં બજારોમાં વેચવા માંડયા.
અને માણસોની – મજૂરોની – અછત, એટલે તેઓએ નવા વિકસેલા યંત્રવિજ્ઞાનની મદદ ખેતીકામમાં પણ લેવા માંડી. અનાજ ઉપરાંત યુરોપનાં યંત્રોને જોઈને કાચો માલ – ઊન, રૂ, રેશમ, શણ, રબર, ઈમારતી લાકડું અને તેલીબિયાં પણ વહાણો ભરી ભરીને યુરોપમાં ઠલવાતાં ગયાં. આવા લાવારસી લૂંટના મળેલા કાચા માલમાંથી યંત્રોએ ઢગલાબંધ તૈયાર કરેલી વપરાશની ચીજોથી યુરોપનાં બજારો ઊભરાવા લાગ્યાં, તથા યંત્રોદ્યોગવાદે માનવને અર્પેલી શારીરિક મજૂરીમાંથી કહેવાતી મુક્ત અને બક્ષેલી સુખસગવડોના સ્વર્ગનાં અખૂટ ગુણગાન ગવાયાં શરૂ થયાં.
પરંતુ એ બધું કુદરતના કાયદાથી વિપરીત રીતે કુદરતના કાયદાને અનાદર કરીને જ ચાલતું હતું – ચલાવવામાં આવતું હતું. પ્રાચીન કાળથી દુનિયાના પડ ઉપર અનામત ભેગી થયેલી ફળદ્રુપતા ઉપર એ કારમી તરાપ હતી.
પરિણામે, બે કે ત્રણ પેઢીમાં તે, ગોરાઓને કબજે આવેલા એ દેશોની લાખો એકર ધરતીના હાલહવાલ થઈ ગયા. માણસે ઓછા, અને ઢેર નહીં, તથા છાણને બદલે ઝેરી ધુમાડે ઓકતાં યંત્રોની મદદ, એટલે જમીન ઉપર ઊગતા ઘાસને ખાતર બનાવવા દાબવાની મહેનત લેવાને બદલે બાળી નાખવાની પદ્ધતિ જ અપનાવવામાં આવી. એ રાખમાંથી થોડાં ખનિજ દ્રવ્યો જમીનને પાછાં મળતાં હશે, પણ જમીનને જોઈતું સજીવ હ્યુમસ એ રાખોડીમાંથી અળસિયાં શી રીતે પેદા કરી શકે? ઊલટો એ અળસિયાંને તે પેલી ધીકતી ધરાની રીતથી ખુરદો જ નીકળી જાય.
આ કાળી કહાણીને વધુ લાંબાવવાની જરૂર નથી. એ સૈકાનું જમીનની ફળદ્રુપતાની દૃષ્ટિએ સરવૈયું કાઢીએ, તે ઉત્તર અમેરિકા એકલામાં ઈ.સ. ૧૯૩૭ સુધીમાં ૨૫ કરોડ એકર જમીનની ફળદ્રુપતા નાશ પામી હતી. અર્થાત ખેતી હેઠળની જમીનના પૂરા ૬૧ ટકા !