SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ આરોગ્ય એ સ્વતંત્ર વસ્તુ નથી! ચનામક ખેતીના પુરસ્કર્તા સર આલ્બર્ટ હાવર્ડ, હમેશને માટે માનવજાતને ઉપકારક બની ગયેલી વિભૂતિઓમાંના એક ગણાય. કૃષિવિદ્યાના “ઋષિનું પદ કોઈને આપી શકાય તે તે એમને. ભારત માટે ગાંધીજીના આર્થિક-સમાજિક-રચનાત્મક દર્શનની તેલ મૂકી શકાય તેવું બીજું દર્શન હોય, તો તે સર આલ્બર્ટ હાવર્ડનું રચનાત્મક ખેતીનું છે. તેમનું વિધાન છે કે૦ લોકશાહીને ખરો શસ્ત્રભંડાર ફળદ્રુપ જમીન છે. ૦ કારણ, માણસજાતનું ભૌતિક, માનસિક, અને આધ્યાત્મિક આરોગ્ય ફળદ્રુપ- નીરોગી – જમીનની નીરોગી પેદાશ ઉપર “સ ટ” અવલંબિત છે. ૦ આરોગ્ય એ પ્રાણીમાત્રને જન્મસિદ્ધ હક છે. રેગી પ્રાણીઓને રોગી વનસ્પતિની જેમ કુદરત સહન કરી શકતી નથી. તેમને તે નાબૂદ જ કરે છે. ૦ જમીન-વનસ્પતિ – પ્રાણી – મનુષ્ય એ ચારની સળંગ સાંકળ છે. એ ચારે કડીની મજબૂતાઈને આધારે જ આખી સાંકળની મજબૂતાઈ કે ઉપયોગિતા નિર્ધારિત થાય છે. ૦ પછીની ત્રણ કડીઓની નિર્બળતા કે નિષ્ફળતાનું મૂળ કારણ પ્રથમ કડી એટલે કે જમીનની નિર્બળતામાં રહેલું છે. જમીન જેટલી
SR No.005919
Book TitleDharti Mata
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy