________________
આમ ધોવાણ થવું તેને અર્થ શો થાય તે જરા સમજી લેવા જેવાં છે. એ ઉપરી-તળની એક સેન્ટીમિટર જેટલી જમીન તૈયાર કરતાં કુદરતને પાંચ કરતાં વધારે વર્ષ લાગે છે; પરંતુ તેટલી જમીન ધોવાઈ જતાં એક કલાકથી પણ ઓછો સમય લાગે છે! આપણી જમીનને આપણે આવો દુરુપયોગ કરીએ છીએ. આપણે આપણી જમીનના ધોવાણને અટકાવવા કંઈ જ કરતા નથી; ઊલટું જમીનના કવચરૂપ જંગલોને સતત અને બેફામ નાશ જ કર્યા કરીએ છીએ.
એક બાજુ આપણે આપણી જમીનનાં પોષક તત્ત્વો ઘસડાઈ જવા દઈએ છીએ, અને બીજી બાજુ રાસાયણિક ખાતર બનાવનારાં રાક્ષસી કદનાં કારખાનાં ઊભાં કરીને એ જ પિષક તત્ત્વોના કંગાળ અજરૂપ રસાયણોનું ઉત્પાદન કરવા કરોડો રૂપિયા ખર્ચીએ છીએ.
એ રાસાયણિક ખાતરો આપણી ધરતીની કેવી બરબાદી કરી રહ્યાં છે, તે સમજવા જેવું છે. એ રાસાયણિક ખાતરોથી પેદા થત પાક એવો નિર્માલ્ય હોય છે કે તેના ઉપર વારંવાર ઝેરી છાંટણાં છાંટીને તેના ઉપર થતાં જીવ-જંતુઓને માર્યા કરવાં પડે છે. પણ એ ઝેરી છાંટણાં, જમીનની અંદરનાં, પણ પાકને માટે ઉપયોગી એવાં જીવાણુ
નોય નાશ કરી નાખે છે. આપણા દેશની ધરતીમાં અસંખ્ય જીવાણુઓ છે– એક ગ્રામ જમીનમાં લગભગ ત્રણ અબજ – જેઓ જમીનની ફળદ્રુપતા અને જમીનનું બંધારણ મહદશે જાળવી રાખીને તેને સ્વસ્થ રાખે છે. અળશિયોને જ દાખલો લો – ઉષ્ણકટિબંધવાળી પરિસ્થિતિ તેઓને અત્યંત માફક આવે છે. તેઓ કુદરતનાં ખાતર ઉત્પન્ન કરનારાં કારખાનાં, રાસાયણિકો અને ખેડૂતો – એ બધું જ છે!
તે જ પ્રમાણે જમીનમાં રહેલાં નાઈટ્રોજન પેદા કરનારાં બૅટિરિયા એવું નાઈટ્રોજન પેદા કરે છે કે જે છોડવાઓ તરત જ - તત્પરતાથીઆત્મસાત કરી શકે છે. પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે, ખેતીવાડી હેઠળની એક હેક્ટર જમીનમાં એક વર્ષે ૫૦૦ કિલોગ્રામ નાઈટ્રોજન પેદા થાય છે. કમનસીબે આપણે આપણી એ મૂડીને જાણે નાશ કરવા