SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જીવો સાથે મૈત્રીનો અનુભવ એ આ તત્ત્વજ્ઞાન શીખવાડે છે. પછી તમારું વ્યક્તિત્વ તમને અવિભાજ્ય અને અવિનાશી લાગે છે. તમારું આકાશ વિશ્વવ્યાપી બને છે. જ્યારે તમે આ અનુભવાતીત કક્ષાએ પહોંચો છો, ત્યારે તમે કાળને માપી શકતા નથી. જોઈ શકતા નથી, અને શરીરની મર્યાદાઓ ચાલી જાય છે. કાળા અને શરીરનું તંત્ર અને સત્તા તમને ગુલામીમાં રાખી શકતાં નથી. જેમ સૂર્યને માટે “અંધકાર જેવું કોઈ બંધનકારક તત્વ નથી. તેમ તમે જ્યારે તમારા સ્વભાવમાં હો ત્યારે કોઈ બંધન હોઈ શકતું નથી. તમારા અમર તત્વનો તમને અનુભવ થતો હોય છે. ભૌતિક હયાતીની કક્ષાએ જ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે. કાળ એ તમારા નય અર્થાત્ દૃષ્ટિની અપેક્ષાએ સાપેક્ષ છે. તમને ગમતાં કાર્યોમાં સમય ટૂકો થઈ જાય છે, જયારે આણગમતી પ્રવૃત્તિમાં કાળ લાંબો દેખાય છે. તેથી તમે જીવનને કઈ દષ્ટિથી જુઓ છો તે ખબર પડે, પછી કાળની હયાતી છે કે નહિ તે વિષે કોઈ ઝઘડો રહેતો નથી. પદાર્થ, ગતિ, સ્થિતી, આકાશ અને કાળનું જ્ઞાન મેળવ્યા પછી પણ તમારે એ સમજવું પડશે કે અંદરનો રહેનાર જ ચેતન છે- દષ્ટિ બદલાતા સમજશે કે આ પાંચ તત્ત્વો તો તેના આધ્યાત્મિક વિકાસમાં સહાયક તત્વો છે. આ જાણ્યા પછી બંધન તોડી હેતથી હેતુપૂર્વ દિશામાં પ્રગતિ કરાય તે માટેની દરેક પ્રક્રિયાનુ જાગૃતિપૂર્વક એ જ દષ્ટિની સરખાય છે
SR No.005916
Book TitleJad Chetannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivine Knowledge Society
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy