________________
E
ત્યાં બે મત વચ્ચે ટકરાવ થવાનો જ.
મનનો અનુભવ પણ પુદગલનું જ સર્જન છે. તેને ભલે આદયાત્મિક અનુભવનો ચેહરો પહેરાવો, તે ભલે સૂક્ષ્મ દેખાતું હોય તેમ છતાં પણ તે ભૌતિક પદાર્થનું બીજું સ્વરૂપ છે.
જયારે મન-શબ્દો, તર્ક, શાસ્ત્ર, દલીલો, બાહ્ય રૂપ-આકારને તમે તમારી જિંદગી પર શાસન કરવા દયો છો, ત્યારે ચિત્તાતીત પદાર્થોનું સૌન્દર્ય અને ભવ્યતા જોવા તમે મુકત હોતા નથી.
તેથી જેઓ મનથી પર થવા ઇચ્છે છે તેઓ બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં અંતર્મુખ બને છે. તે અંતર્મુખતા નહિ પણ આત્મનિરીક્ષણ છે, જેનાથી આત્મશુદ્ધિ થાય છે.
આ આત્મવિશ્લેષણથી તમે તમારા વિચારો, સંબંધો, ઇચ્છાઓ, આસક્તિઓ, લાગાણીઓ અને કલ્પનાઓ તટસ્થતાપૂર્વક તપાસી શકો છો. તે હિતકારી છે કે અહિતકારી તેનો નિર્ણય લઇ હિતકારીને આવકારમાં અને અહિતકારીનો ત્યાગ કરવાનો પુરૂષાર્થ ખેડી વિજયી બની સાચા સુખી બની શકો છો.
આ નિરીક્ષણમાં કશુંક ચમત્કારિક બને છે. જાગૃતિનો પ્રકાશ વધે છે અને જુનાં અશુભ તત્ત્વો દૂર થાય છે. નવાં આવતાં નથી. ક્રોધનો તણખો, ઇર્ષ્યાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપીંડીનું મોજું. વિ. કોઈપણ ખંડનાત્મક અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તુરત જ