________________
આવતી કાલનું ગુજરાતી વિવેચન
પાંચેક વર્ષ પહેલાં આકાશવાણીના મુંબઈ કેન્દ્ર તરફથી છેલ્લાં પચાસ વર્ષની કવિતા” એ વિષય ઉપર વ્યાખ્યાનમાળા યોજાઈ હતી, અને ૧૯૫૭માં છેલ્લા દાયકાનું સાહિત્ય' એ વિષય ઉપર એક સિમ્પોઝિયમસંવિવાદ જા હતો. એ પ્રયોગોના ચિત્ય અને ઉપયોગિતા વિશે મતભેદને કશો અવકાશ હોઈ શકે નહીં. પણ “આવતી કાલનું સાહિત્ય” ચર્ચવાનું, અને આવતી કાલની કવિતા કે ટૂંકી વાર્તા કે આવતી કાલનું વિવેચન” એવા વિષયોનું નિરૂપણ કરવાનું હોય ત્યારે તેનાં ઔચિત્ય અને ઉપયોગિતા વિશે સાશક થયા વિના ભાગ્યે જ રહેવાય. કારણ કે, એક તો, આવતી કાલ એટલે શું ? બે વરસ, પાંચ વરસ, દસ વરસ ? શું સમજવું ? બીજુ, આવતી કાલની કવિતા કે આવતી કાલના વિવેચન વિશે વાત કરવાની હોય તો આવતી કાલની કવિતા કે વિવેચન કેવાં હોવાં જોઈએ એ દૃષ્ટિકોણ–મોટે ભાગે આત્મલક્ષી દૃષ્ટિકોણ સ્વીકારીને બોલી શકાય. અથવા તો આવતી કાલની કવિતા કે વિવેચન કેવાં હોવાનો સંભવ છે એ દૃષ્ટિકોણ–વસ્તુલક્ષી દૃષ્ટિકોણ સ્વીકારીને પણ બોલી શકાય. આપણી આ શ્રેણીમાં તો આ બીજો દૃષ્ટિકોણ–વસ્તુલક્ષી દૃષ્ટિકોણ-જ અભિપ્રેત છે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય. વસ્તુલક્ષી દૃષ્ટિકોણથી સાહિત્યપ્રકારનાં આવતી કાલનાં સ્વરૂપની કલ્પના કરવી એટલે આજનાં અને ગઈ કાલનાં વલણો, વહેણ, ભાવે, ભાવનાઓ અને આકારોના નિરૂપણ ઉપરથી આવતી કાલ વિશે અનુમાન કરવું. સર્જનાત્મક સાહિત્ય નિયતિના નિર્મોનાં બંધનોથી પર છે, કવિપ્રતિભા સ્વતંત્ર છે. એ જોતાં એમને વિશે તાર્કિક અનુમાન કરવાની પ્રવૃત્તિ ઉપયોગી નીવડવાને સંભવ જૂજ છે. છતાં