________________ અક્ષર એક પ્રસંગે તેની કસોટી કરી. તેની શુદ્ધ ભાવના તેમાં વિજયી નિવડી એ પ્રસંગ છે, “અલકાબહેન હું તે તમારે ભાઈ થાઉ હે!” આ દઢતાપૂર્વક તેણે કરેલા નિર્ણયને. અલકકિશોરી સાથેના પ્રસંગમાં પોતે પણ વાસનાને થોડી વાર વશ થયો હતો એ અનુભવથી સ્ત્રીને સાત ગાઉના નમસ્કાર કરવાને તેણે નિર્ણય કર્યો. પ્રમાદધન પદ્મા જેવી રૂપજીવિનીઓના સંગમાં રાચે છે, કુમુદ જેવી સાલસ અને રસિક પત્ની તેની આંખમાં વસતી નથી, એ પ્રમાદધન આચારમાં દૂષિત થયો છે અને હું વિચારમાં દૂષિત થયો છું. એવું વિચારીને કુમુદના સાનિધ્યમાંથી ખસી જવાને તેણે નિર્ણય કર્યો. પણ અલકકિશોરી સાથેના પ્રસંગમાં નવીનચંદ્રની વાસનાની કંઈક ઝાંખી થતાં જ કુમુદે સ્ત્રીહદયમાં વસતી પુરુષને પ્રેરણા આપવાની શક્તિનાં દર્શન કરાવ્યાં. આવી સુકુમાર અને શારીરિક દષ્ટિએ અબળા દેખાતી કુમુદમાં કેટલું મને બળ છે ! તેણે નિશ્ચય કર્યો કે નવીનચંદ્રને પતિત નહિ થવા દઉં. તેણે તેને મુંબઈમાં પાછા જઈ કંઈ યોગ્ય કાર્યમાં પરોવાઈ જવાની સૂચના કરી. અત્યાર સુધી પક્ષ રીતે સરસ્વતીચંદ્રમાં રસ લેતી કુમુદે હદય કઠણ કર્યું, સરસ્વતીચંદ્રના જે અનેક પત્રે સાચવી રાખ્યા હતા તે બાળી નાખ્યા. “પ્રમાદધન મુજ સ્વામી સાચા”, એ સૂત્રને જપ જપવા માંડી. એકબીજાથી દૂર રહેવાનો નિર્ણય કરી ચૂકેલાં બંનેને વિધિએ, સંજોગોએ વ્યાવહારિક જગતના સંતાપ અને કલેશોથી દૂર અને સંસારના સંબંધોને સંસ્કારીને ઉન્નતિ તરફ વાળવાની પ્રયોગશાળા સમા સુંદરગિરિની પાવક અને શાન્તભૂમિમાં પાછાં એકઠાં કર્યા. નવીનચંદ્ર સુવર્ણપુરીથી ભદ્રેશ્વર જવા નીકળ્યો. રસ્તામાં ધીંગાણું થયું. તેના માથામાં ઘા વાગવાથી વનમાં બેભાન અવસ્થામાં પડ હતો ત્યાં વિષ્ણુદાસજીના શિષ્યોએ તેને જોયો અને મઠમાં લઈ ગયા. વિષ્ણુદાસજીએ ભવિષ્ય ભાખ્યું કે આ નવતર વ્યક્તિ મહાત્મા થશે અને એ મઠને પણું ઉત્કર્ષ કરશે. સુંદરગિરિના સાધુઓની જીવનવ્યવસ્થા અને ઉત્કર્ષ સાધનાને દોર