________________
૧૯૬
અક્ષણ રહે છે. આમ હોવાથી આ દલીલ પણ સબળ નથી.
“પ્રસ્થાન' ના મહા માસના અંકમાં રા. પટેલ પણ સમેતમ્ ને મૂળ તરીકે સ્વીકાર ન કરવામાં ર. બક્ષીને અનુસરે છે અને ઉમેરે છે કે સંસ્કૃતમાં પેટ્ર ધાતુ વપરાયાનું જણાતું નથી એટલેએ મૂળ સંદિગ્ધ કરે છે. અહીં જણાવવું જોઈએ કે શબ્દોની રૂપત્કાન્તિ માટે, મૂળ તરીકે સ્વીકારવા યોગ્ય જણાતું પદ ભાષામાં પણ પ્રયોગ પામ્યું હોવું જોઈએ, એ સર્વથા આવશ્યક નથી. ઉદા. તરીકે, શલ્ય – સાલવું, દગ્ધ – ધગવું એવાં રૂપે વપરાયાં જ નથી, છતાં ઉત્ક્રાંતિ સંભવે છે. બીજુ, રા. પટેલ આ બંને ધાતુના મૂળ તરીકે સંવેષ્ટ ધાતુ હેવાનું સૂચવે છે. સાથે સાથે ઉમેરે પણ છે કે પ્રાકૃતમાં સંવેષ્ટ માટે સંલ્લ રૂપ વિશેષ પ્રચલિત હતું. એટલે સંવેદ પ્રાકૃત રૂપને બેલીમાં પ્રચલિત હોવાનું સ્વીકારવું પડશે કે ગુજરાતી બંને ધાતુઓને અર્વાચીન તદ્દભવ માનવા વિશે તે પ્રાચીન વિવાદપદ્ધતિને અનુસરીને સ્વપક્ષોષાગ્ય ! એટલે જ ઉત્તર આપવો રહ્યો. * ર. બક્ષીએ પોતાના મતના સમર્થન માટે ઉદાહરણ ટાંક્યાં છે તેમાંનું
એક વાનર- વાંદરા આપ્યું છે. આ વ્યુત્પતિ યથાશાસ્ત્ર નથી. વાનરમાંથી વાનર વ્યુત્પન્ન થાય. “વાંદર' શબ્દ તો વાનરમાંથી વ્યુત્પન્ન થઈ શકે. અને વાનરક શબ્દમાં સ્વરનું જે સ્થાન પરિવર્તન થાય છે તે રા. બક્ષીના મતને કઈ રીતે ઉપકારક નથી.
બીજી એક વાત, મેં પફમાણિ ઉપરથી પ્રા. પાણિ વ્યુત્પન્ન થયાનો ઉલ્લેખ કર્યો હતો. તે વિશે રે. બક્ષી નેંધે છે કે પહ્મણી હિં. વ. (નહિ કે પહ્માણિ બ.વ.માંથી) પહુમણિ વ્યુત્પન્ન થાય છે. પર્મણિ દ્વિ. વ. માંથી જ શા માટે? પ્રાકૃતમાં દ્વિવચનને સ્થાને બ.વ.નો પ્રયોગ થાય છે એ સર્વવિદિત છે. તો પમણિ જેમ પમાણિમાંથી વ્યુત્પન્ન થાય છે તેમ પમાણિમાંથી પણ થઈ શકે. કોઈને તેની આંખને કે તેના એક પોપચાને પણ બે જ પાંપણ નથી હોતી. તે કિ–વચ- વચનને જ વરવા માટે કંઈ પ્રમાણુ ખરું?