________________
‘વસૉત્સવ'માં અસંભવદોષ
કેાઈ વર્ષાના સભ્યા સમયે નિસ્તેજ બાલચન્દ્ર ઉપર મેઘધનુષના
‘ રંગ આવી આવી ઊડી જાય તેમ વિલસુના મન્દ મુખ ઉપર લજજીરેખાઓ બેશી બેશી જતી રહી.” *
(“વસન્તોત્સવ') ૨. નરસિંહરાવ જેવા વિશદ વિચારશીલ અને તલસ્પર્શી વિવેચકનાં વિધાનમાં આશકા કરવામાં ધૃષ્ટતાનો આરોપ પહેરી લેવા જેવું છે એ વિધાનને અસિદ્ધ માનવા જેટલે જવું એ સાહસ છે. આ સ્થિતિનું ભાન હોવા છતાં,. મને લાગે છે કે ઉપર ટાંકેલા વસંતોત્સવમાંના કાવ્યખંડમાં રા. નરસિંહરાવ જે અસંભવદેષ જુએ તે દેશનું અસ્તિત્વ અસિદ્ધ નહિ તે, અતિશંકાસ્પદ તે છે જ શી રીતે, તે જોઈએ. ૧. વસંતોત્સવની બીજી આવૃત્તિમાં આ પંક્તિઓ નીચે પ્રમાણે છપાઈ છે.
વર્ષાને કેઈક સચ્ચા સમયે નિસ્તેજ બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવી આવી ઊડી જાય છે, વિલસુને ઝાંખે મુખડે એવી લજજા રેખા બેઠી
ને બેસતાં જ ઊડી ગઈ આ પાઠમાં મૂળની જેમ સરખાવતાં, પદગભેદ નજરે આવે છે. અહીં પ્રસ્તુત ચર્ચાને વિષય તો એથી અલિપ્ત રહે છે, એટલું નોંધવાનું છે.