SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ-સમાચના ૧૬૭ વ્યુત્પત્તિના પ્રશ્નોના પ્રમાણના પુરાવાઓની સારાસારતાને તોળીને નિરાકરણ કરતો આ મણકે આ અંકનું ઓજસ્વી અંગ છે. આંઠ દસકેય યૌવનનું જેમ ધારતા “બુદ્ધિપ્રકાશ'ને પડછે ગુજરાત સંશાધન મંડળના સૈમાસિકનો જાન્યુઆરી. અંક સોજાત બાળક જેવો લાગે છે. છતાં એશઆરામી ગુજરાતને પિતાના સંસ્કારધનની ઓળખ કરવાની કે તેને બઢાવવાની તમન્ના અત્યારે પણ છે એ આ મંડળની સ્થાપના અને મંડળના ત્રિમાસિક દ્વારા સાબિત થાય છે. આ અંકમાં ડે. હીરાનંદ શાસ્ત્રી વડોદરા સ્ટેટના પુરાતત્ત્વખાતાએ છ વરસના જીવનકાળમાં શી શી પ્રવૃત્તિ કરી છે તેને માહિતી ભરેલો અહેવાલ આપે છે. પ્રો. મજમુદારે ગુજરાતી સાહિત્યમાં બારમાસી ગીત ઉપર સંક્ષિપ્ત લેખ લખ્યો છે. બારમાસી ગીતોનું એતિહાસિક દષ્ટિએ સ્વરૂપ–નિરૂપણ વસ્તુની, રસની અને પરિસ્થિતિની દષ્ટિએ દેખાતી વિવિધતા વગેરેનો સ્પર્શમાત્ર કર્યો છે. આ વિષય સ્વતંત્ર સવિસ્તર નિરૂપણ માગે છે એમ દર્શાવવામાં આ લેખની વિશિષ્ટતા રહી છે. આ અંકનાં લગભગ પોણા ભાગનાં પાનાં તો શ્રી એ. બી. ત્રિવેદીના “કાઠિયાવાડના આજના ઉદ્યોગો’ એ નામના મહાકાય લેખમાં વપરાયાં છે. તેમાં આવેલી વિગતો, માહિતી અને આંકડાની મદદથી કરવામાં આવેલાં નિરૂપણ ઉપરથી આપણા ઔદ્યોગિક વિકાસમાં રસ લેનારાઓને અતિઉપયોગી કહી શકાય. - આ બે અંકે સંશોધન પ્રધાન છે, જ્યારે ત્રીજે સર્જનપ્રધાન છે. અમદાવાદથી ગતિ–રેખા કાર્યાલય તરફથી પ્રકાશિત કરવામાં આવતા માસિક “રેખાનો છઠ્ઠો અંક સર્જનની અને સાંપ્રત સ્થિતિનું બયાન આપતી વિવિધ વાનીઓ પીરસે છે. એ વાનીઓમાં તમતમાટ છે, નીરસ બની ગયેલી રસનાને પુનરુદ્દીપિત કરવાની શક્તિ છે. શ્રી નવલરામ ત્રિવેદીએ “પ્રભુતામાં પગલાં” નામની ટૂંકી વાર્તામાં સબળ અને સચોટ કટાક્ષથી જીવનમાં આંધળે બહેરું કેવી રીતે કૂટાય
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy