________________
ગ્રન્થપરિચય
૧૬૧
6
આંટીઘૂંટી ઉકેલવાના માર્ગ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા છે. એટલું જ નહિ ‘ લેાકસંગ્રહ ' ઉપર, સમાજસેવા ઉપર પણ ભાર મૂકયો છે. કાકાસાહેબ ગીતામાં બ્રહ્મ એટલે વ્યાપક સમાજસેવા અને બ્રહ્મની ઉપાસના એટલે સમાજની સેવા, સમાજની શુદ્ધિ અને સમૃદ્ધિનું કા એવા કરે છે પણ એમની સામાજિક દૃષ્ટિ સમાજવાદી ‘ સેાશ્યાલિસ્ટ ’ કે સામ્યવાદી કામ્યુનીસ્ટ ' દૃષ્ટિ નથી, સર્વાદયદ્રષ્ટિ છે. કદાચ સર્વેŕદયના સિદ્ધાંતને અનુસરનારાઓ અને સર્વાદયપ્રવૃત્તિ કરનારાઓને પણ યાદ દેવડાવવાની જરૂર છે કે કાકાસાહેબની દૃષ્ટિએ સમાજ એટલે કેવળ માનવસમાજ નહિ, પણ આ વિશ્વમાં રહેલા જીવમાત્ર છે, લેાકશાહી ‘ડેમેક્રેસી ’નું ધ્યેય · ધી ગ્રેટેસ્ટ ગુડ ફ્ ધી ગ્રેટેસ્ટ નંબર ’ ઝાઝાનું ઝાઝામાં ઝાઝુ` હિત ' ગણાયુ છે. સર્વોદયદષ્ટિ આ મર્યાદિત ધ્યેયનાં ભયસ્થાને જુએ છે અને તેથી ધી ગ્રેટેસ્ટ ગુડ આક્ એટલ’· સૌનું ઝાઝામાં ઝાઝું હિત ' કરવાનું ધ્યેય સ્વીકારે છે. પણ આ સૌમાં પ્રાણીમાત્રને સમાવેશ કરતી દૃષ્ટિ ભગવદ્ગીતાની દૃષ્ટિ છે, વિશિષ્ટ ભારતીય દિષ્ટ છે.
6
C
'
<
કાકાસાહેબે ચાતુ ણ્ય અને આશ્રમવ્યવસ્થાને તેની ઉત્પત્તિ અને વિકાસને સામાજિક દૃષ્ટિએ તપાસ્યાં છે. મહાભારતના એક વિધાનને અનુસરીને કાકાસાહેબ કહે છે કે - મૂળ કલ્પના પ્રમાણે સામાજિક જવાખદારી સપૂર્ણ પણે સમજનારા અને સમાજસેવાનું પેાતાનું કર્તવ્યૂ પાર પાડવાવાળા જે માનવપ્રાણી તે બ્રાહ્મણ છે. તે પછી સામાજિક જવાબદારીની બાબતમાં શિથિલ અથવા મદ અને પેાતાના જ રાંકુચિત સાધ્યને વિશે અત્યંત ઉત્સુક એવા જે બહુજનસમાજ રહ્યો તેનું નામ વૈશ્ય' પડયું. બ્રાહ્મણમાં જ્યારે સેવાથી અને સ્વાર્થ ત્યાગથી સમાજને શુદ્ધ અને તેજસ્વી રાખવાની શ્રદ્દા અને ધીરજ ન રહી એટલે પેાતાના સામર્થ્ય થી-બળથી ખીજાઆને દાખમાં રાખવાની વૃત્તિવાળા ક્ષત્રિય ઉત્પન્ન થયા અને
6
અ. ૧૧