________________
જબૂસ્વામીાસ
૧૫૫
વિહરે છે તે કારણે આ રાસામાં પણ ક્યાંક ક્યાંક હિંદી અને મારવાડી ભાષાની અસર નજરે આવે છે. પ્રસ્તાવના પછી સંપાદકે રાસની વાચના આપી છે. કર્તાના હસ્તાક્ષરમાં જ મળેલી પ્રત ઉપરથી વાચના તૈયાર કરી છે. તેથી પાઠાન્તરનો સંકુલ પ્રશ્ન સદ્ભાગ્યે અહીં ઊભો થતો નથી, જો કે કેટલેક સ્થળે કેવળ માનવસુલભ અનવધાનતાને કારણે નજીવા લેખનદોષ પ્રતમાં નજરે આવે છે. તેનું સંપાદક તર્કપુર:સર સંસ્કરણ કરી લીધું છે. જેમકે પાંચમા અધિકારની ૨૫મી કડીના ઉત્તરાર્ધમાં “કામધામ લીલા ઉદ્દામ, સકલ કેરે વિશ્રામ માં “ઉદ્દામ ને બદલે મૂળ પ્રતમાં “ઉદાસ” છે તે દેખીતી રીતે જ સંભવિત નથી. એ જ અધિકારની ૨૩મી કડીમાં
ન છું વિષયરસમન” એમ મૂળ કૃતિના પાઠને સુધારીને “ન છું વિષયરસલીન' સ્વીકાર્યું છે એ પણ યોગ્ય લાગે છે. '
રાસની વાચના પછી સંપાદકે “સુજસવેલી ભાસ” અને તેને. ગદ્ય અનુવાદ અવતાર્યો છે. આ કૃતિમાં સંગ્રહાયેલી વિગતો શ્રી યશોવિજયજીના જીવન વિશે મહત્વની માહિતી આપે છે તેથી અભ્યાસીએને આ ખંડ ઉપયોગી નીવડશે. અંતમાં સંપાદકે ટીપ્પણું આપ્યું છે, જેમાં શબ્દોના અર્થ આપીને ઢાલ કે દુહાનું મુખ્ય વક્તવ્ય. આપવામાં આવ્યું છે. તે પછી કંઈક વિશેષ આવશ્યક વિવરણ માગી લેતી હોય તેવી કડીઓનું વિવરણ પણ કર્યું છે. * આમ આ કૃતિના સંપાદનમાં ડો. રમણલાલ શાહે શાસ્ત્રીય પદ્ધતિને સ્વીકાર કર્યો છે, જે મહત્ત્વનો મુદ્દો છે અને આ સંપાદનને અધિકૃત કૃતિ તરીકે રજૂ કરે છે. આ પરિચય સમાપ્ત કર્યું તે પહેલાં એક બે મુદ્દાઓને ઉલ્લેખ કર્યું. આ કૃતિની ભાષા અને શબ્દ-સ્વરૂપ મધ્યકાલીન રૂપનાં વધારે લાગે છે. ઉદા. તરીકે ગોખનઈ સંમુખ સા ગઈ”, “નૃપ પૂછઈ દૂઉ કુણહેતી, “હવઈ જયસિરિ વાણું વદઈ રે, સુણિ પિઉ સાચઈ સિદ્ધિ, ગુણરા જ્ઞાતા,