________________
ગોવર્ધનરામ
છે. અને આ બધાંની સાથે નાનામોટા નિબંધ જેવા, સ્નેહલગ્ન, યજ્ઞભાવના, રાજકારણ, તત્વજ્ઞાન વગેરે વિષયોની મીમાંસા કરતા ખડે પણ છે. પણ આ પ્રકારની વિચારસંભાર જ નવલકથાના રૂમમાં જવાનો ગોવર્ધનરામને હેતુ હતો એ તો આપણે જાણીએ જ છીએ. “સરસ્વતીચંદ્ર'નો કલાદેહ ભલે વિલક્ષણ ભાસતે હોય, એમાં કલાદેહે રજૂ થતી સર્વતોમુખી જીવનમીમાંસા વ્યક્તિ ને સમાજનાં શ્રેય અને પ્રેયનો સમન્વય કરતી એવી વિશિષ્ટતા ધારણ કરે છે કે તેને લીધે સરસ્વતીચંદ્ર'નું આકર્ષણ નિત્ય નવીન રહ્યા કરશે.
- કલાઘાટની દૃષ્ટિએ ગોવર્ધનરામનું “સ્નેહમુદ્રા” નામનું કાવ્ય પણ વિલક્ષણ જ છે. પ્રસન્ન દામ્પત્યજીવનમાં સ્નેહપાત્ર બનેલી જીવનસખીનું ઓગણીસ વર્ષની સુકુમાર વયે અવસાન થયું. ગોવર્ધનરામના હૃદયમાં આ સ્નેહજીવનની મુદ્રા એવી દઢ અંકાઈ ગઈ હતી કે તેના આવિષ્કાર તરીકે પહેલાં તો હદયદિતશતક' નામનું સંસ્કૃત કાવ્ય રચાયું. સ્નેહા હદયને આટલાથી સંતોષ નહિ થયો હોય, જીવનમાં સ્ત્રીનું સ્થાન અને પ્રેમનું સ્વરૂપ નિરૂપવાની પ્રેરણા પત્નીના અવસાનથી થયેલા વિષાદમાંથી જન્મી હોય એ સંભવિત છે. “સ્નેહમુદ્રા” અથવા “હદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા' આ ઉપશીર્ષક જેવું કાવ્યના ધ્યેયનું સૂચન દર્શાવે છે કે વૈયક્તિક સ્નેહનિરૂપણ નહિ પણ સ્નેહનું સામાન્યરૂપે નિરૂપણ કરી જીવનમાં તેની મહત્તા દર્શાવવી એ ગોવર્ધનરામનું લક્ષ્ય હતું. પરિણામે, આકૃતિની દૃષ્ટિએ “સરસ્વતીચંદ્ર'ની પેઠે “સ્નેહમુદ્રા” પણ વિલક્ષણ અથવા તે સુંદરમના શબ્દોને પ્રયોગ કરીને કહીએ તો, “સુરૂપ— વિરૂ૫ બન્યું છે. “સ્નેહમુદ્રા'નું કથાનક કે વૃત્તાંત પણ વિલક્ષણ લાગે છે. ઉત્તરધ્રુવમાં વસતું એકલ દમ્પતી અસુરોને હણીને હિંદમાં
આવે છે, ત્યાં સતી થતી હિંદુ વિધવાને જેઈને નાયકની પત્ની • મૃત્યુ પામે છે. નાયક પર્વતશિખરે જઈ પત્ની માટે વિલાપ કરે છે, રાતના અંધારામાં તેની મિત્રપત્ની સખીઓ સાથે આવી