SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ - આજનો દિવસ એક રીતે તો મારા માટે પણ એક ચિંતનનો દિવસ છે. કારણ કે, આજે હું એક એવા સ્થાને આવ્યો છું કે જે સ્થાન મને વધારે ઊંડાણથી, વધારે ગહનતાથી અને વધારે સ્થિર તેમ જ સ્થિત બનીને વિચાર કરવા પ્રેરે છે. જીવનનાં કેટલાંએક સ્થળો જ એવાં હોય છે, કેટલીક ભૂમિ જ એવી હોય છે કે જે, માણસને જીવનના ગંભીર પ્રશ્નો તરફ દોરે છે. '. આપણે જાણીએ છીએ કે સંયોગોની અસર, માણસના મન ઉપર કેવી તીવ્ર થાય છે. જ્યાં રંગ રાગનું વાતાવરણ ઊડતું હોય, જ્યાં ચારે બાજુ હાસ્યની મહેફિલો. જમી હોય, જ્યાં તોફાન અને ઉન્માદ ચાલતાં હોય, ત્યાં થઈને માનવી પસાર થતો હોય છે ત્યારે, તેની ઉપર પણ એ વાતાવરણની અસર થાય છે. - એ જ માનવી કોઈક વાર દવાખાના પાસે થઈને પસાર થાય છે ત્યારે, વ્યથાથી પીડાતા બીમાર માણસોના ખાટલા ત્યાં જૂએ છે, એમની ચીસો સાંભળે છે, એમના આર્તનાદ સાંભળે છે, અને એના હદયમાં એક કરુણાપૂર્ણ વિચાર આવી જાય છે કે જીવન એટલે શું? આ જ?”
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy