________________
૧૪ પૂછજો કે મુક્તિ કેમ પમાય? બંધનમાંથી છૂટાય કેમ? - પેલા શેઠે વિચાર કર્યોઃ “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે?' . - શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને વૃત્તિઓ જેલ જેવી લાગે છે, એમને જ છૂટવાનું મન થાય છે. જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં જ આનંદ માનતા હોય છે, એમને એ કેદ જ નથી લાગતી. પછી છૂટવાનો વિચાર આવે ક્યાંથી? . '
ભગવાન મહાવીર પોતાના રાજમહેલનાં વૈભવ અને સ્વજનોને છોડીને કેમ ચાલી નીકળ્યા? એટલા માટે જ, કે એમને લાગ્યું કે આ વૃત્તિઓની કેદ, બહુ આકરી વસ્તુ છે. એની જંજીરો બહુ કપરી હોય છે. એમાંથી છૂટવું એ જ માનવજીવનની અર્થ
છે, અને જે હું છૂટો થઈશ તો બીજને પણ એ માર્ગ . બતાવી શકીશ. એટલે રાગદ્વેષની કપરી કેદમાંથી
છૂટવા, એ દૂર દૂરના વનવગડામાં ગયા, અને દ્વેષ તેમ જ રાગની સાંકળોમાંથી છૂટવાની સાધના આદરી.
પેલા પોપટે પૂછાવેલો પ્રશ્ન લઈને શેઠ તો વ્યાખ્યાનમાં ગયા. સભા બેઠી હતી. સૌ ધ્યાનથી સાંભળતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે પેલા શેઠે