________________
પ્રકારની છે.
તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમમાંથી કઇ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે
છે.
તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે.
માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદગલ પ્રધાન હોય છે; માનવ જ્યારે મન-પ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે; અને માનવ, જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે, ત્યારે એ દિવ્યતા-પ્રધાન હોય છે. એટલે એનામાં આ ત્રણ તત્ત્વો પડેલા છેઃ એક તત્ત્વ પાશવતાનું, બીજું તત્ત્વ માનવતાનું અને ત્રીજું તત્ત્વ દિવ્યતાનું.
માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે, ત્યારે