________________
દેરક માનવી પરાધીન છે, અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પૂરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે.
આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો, એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને-મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું.
પણ એ ક્યા અર્થમાં કેદી . વેરમાં, વિચારોની સંકુચિતતામાં વૃત્તિઓમાં!
આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો? શું શું સહન નથી કરતો? .
આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું? એ કેદી કેમ બન્યો? અને આ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે?
* માનવ પાસે ત્રણ વસ્તુઓ છેઃ
એક છે દેહ, બીજુ છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છેઃ દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા