SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પરિસંવાદ [28] સિંહાસન મેળવ્યું. ચારિત્ર્યની મજા એ છે કે તમારામાં અંદરથી ખુમારી આવે, મસ્તી આવી જાય, ત્યાગ સહજ લાગે. પછી વસ્તુ સામે આવે પણ મૂચ્છ ન જાગે. નિસ્પૃહીનાં જેટલાં કામ થાય એટલાં પૃહાવાળાનાં ન. થાય. છેડે ત્યારે કહે કે તુચ્છને છોડયું અને પરમને મેળવ્યું. અક્ષયસુખનું કારણ, પરમસુખનું કારણ ત્યાગધર્મ છે, ચારિત્ર્યધર્મ છે. ચારિત્ર્ય અને જ્ઞાનથી આત્મામાં એવી શકિત ઉત્પન્ન થાય કે પાપ એને અડી પણ ન શકે. વિશ્વની કઈ તાકાત એનાથી બળવાન નથી ! હું આત્મા છું. હું જેમાં વસું છું એ દેહને દુઃખ આવે છે તેમાં કારણ દુઃખ આપનારાં નથી, પણ કર્મ છે. આ કમને ખલાસ કરવાં છે. જેમ કાંટે વાગે તે ન નીકળે ત્યાં સુધી વેદના થાય તેમ કમ લાગ્યાં હેય ત્યાં સુધી એક અથવા બીજી રીતે દુઃખ આવ્યા કરે છે. હું આત્મા છું એવી પ્રતીતિ થયા પછી પૂર્ણતા માટે બધી જ ક્રિયાઓ કરતાં આનંદ થાય છે. . એક બાઈ બોડિંગના દોઢસે છોકરાઓ માટે રસોઈ બનાવે અને ઘેર જઈને પિતાના દીકરા માટે બનાવે. પેલા બેડિંગના છોકરા સારા છે, દેખાવડા છે, ભણેલા છે પણ એમાં મારાપણાની રુચિ નથી. એટલે એમને જમાડતાં મનમાં પ્રીતિ નહિ જાગે અને ગમે તેમ કરીને કામ પૂરું કરશે. પણ પિતાને પુત્ર સાવ સામાન્ય હોય તે પણ તેને જોઈને તેને પ્રીતિ થાય છે, ઉલ્લાસ જાગે છે કારણકે એ
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy