SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] પૂણેના પગથારે માનતે કે હું મરવાને છું અને મરવાને છું એમ જે માનતે હોય તે એનું જીવન કેટલું સારું બની જાય.” મેં આ ભાઈને કહ્યું કે ભાઇ ! આ આત્માને મરવાને વિચાર આવવાને જ નથી. આ વિચાર નથી આવતે એમાં એક પરમ સત્ય રહેલું છે. એનું કારણ એ છે કે જે મારે છે અને જે નથી મરતે એવા બે જણ આ શરીરમાં ભેગા થયા છે. મરે છે એવું એક છે અને નથી મરતે એ બીજે છે. અને એ બન્નેની partnership ભાગીદારી ચાલી રહી છે. મરનારે કેણ? આ દેહ. અને ન મરનારે કોણ? આ આત્મા. એટલે આત્મા આછું આછું પણ, અપ્રત્યક્ષ રીતે પણ, એ પોતે જાણે છે કે હું મરવાને નથી. જે મરે છે એ કેણ મરે છે? આ દેહ મરે છે. અને આ દેહના મૃત્યુની સાથે આત્માનું અમરત્વપણું તે રહેલું છે, પણ એનું સ્પષ્ટ જ્ઞાન કર્મને લીધે, વાસનાઓને લીધે, વૃત્તિઓને લીધે આપણને નથી થતું. એટલે ઘડીભર માટે આપણે ફફડી જઈએ છીએ, અને મૃત્યુને ભય લાગી જાય છે. પણ જો ખરેખરું જ્ઞાન થઈ જાય, જે સાચેસાચે અનુભવ થઈ જાય તે કઈ માણસ મરી જાય, જુદે થાય તે વખતે પણ તમને એમજ થાય કે મરનાર મરે છે, નથી મરનાર નથી મરતે. મરનાર આ દેહ છે, આત્મા મરતું નથી. એટલે તમને જે મૃત્યુને વિચાર આવ્યું એ મૃત્યુને વિચાર આત્મા માટે ન આવે, જોઈએ. જે મને વિચાર આવે છે એ દેહને માટે આવે છે. આ અનુભવ આનંદઘનજીને થયે અને એમણે ગાયું “દેહ વિનાશી, હમ અવિનાશી, અપની ગતિ પકડેગે.” જ્યારે અમારી partnership-ભાગીદારી જુદી થશે ત્યારે અમે બને જુદા પડી જવાના. “દેહ વિનાશી” આ શરીર અહીં
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy