________________
[૧૦]
પૂર્ણના પગથારે એક વિદ્વાને સરસ વ્યાખ્યા બાંધી કે Man of words. and not of deeds is like a garden full of weeds. માત્ર શબ્દને સંગ્રહ કરે અને એ સંગ્રહને આચારમાં મૂકવા માટેની અભિરુચિ ન દાખવે એને એક બગીચા સાથે સરખાવે છે, જેમાં પુષ્પ અને ફળો કાંઈ નથી માત્ર કાંટા અને ઝાંખરાં જ ઊભાં છે.
: - ભણતરથી માત્ર મરણશકિત વધે, શબ્દશક્તિ વધે, વાક્ચાતુર્ય વધે અને આચરણ ન વધે તે આપણું જીવનમાં ત્યાગનું તેજ કેમ આવે ? વસ્તુને છોડવા માટેની અભિરુચિ કેમ જાગે? શાશ્વત અને અશાશ્વતને વિવેક કરે એ જ તે વિદ્યાનું પ્રથમ પાસું છે. - બીજું દર્શન એ કે મારામાં જે છે એ જ તત્ત્વ વિશ્વના બધા જ આત્માઓમાં નિવાસ કરી રહ્યું છે તે એકાંત અને જાહેરમાં હું મારા પ્રત્યે જેવું આચરણ કરું છું એવું જ આચરણ હું જગતના 9 પ્રત્યે કરું. આ દષ્ટિથી એના વિચારમાં, એના ઉચ્ચારમાં અને એના આચારમાં એક જાતની ઉચ્ચતા આવે છે. આ ઉચ્ચતા લેકેને રાજી કરવા બહારથી લાવેલી નથી પણ અંદરથી ઊગેલી છે. વિશ્વમાત્રના પ્રાણીસૃષ્ટિમાં ચૈતન્યના નિવાસનું એણે દર્શન કર્યું છે.
આવી દષ્ટિવાળા માણસે આપણને દરેક દેશમાં મળી આવે છે. અબ્રાહમ લિંકન એકવાર હાઈટ હાઉસ જતાં કીચડમાં ડુક્કરને તરફડતું જુએ છે. પિતે કીચડમાં જઈ એને કીચડમાંથી કાઢે છે, પછી જ હાઈટ હાઉસ જાય છે. ત્યાં કેઈએ ડ્રાઈવરને પૂછ્યું કે લિંકનનાં કપડાંને કીચડના ડાઘા કેમ? ડ્રાઈવરે કહ્યું કે ડુક્કરને કીચડમાંથી બહાર