SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૮]. પૂર્ણના પગથારે એમની પાસે પથરા ફેંકાવીને, કલેજે અને યુનિવર્સિટીઓ સળગાવડાવીને, શિક્ષકેની સામે બેલતા કરીને, ચોપડીઓ અને પુસ્તકાલયોને બાળતા કરીને એમના શૈશવને બગાડી રહ્યા છે. જે બીજાનું શૈશવ બગાડે એને બુઢાપો શા માટે ન બગડે? એનાં મૂળ કેણ છે? સત્તાના ઉચ્ચ આસન ઉપર બેઠેલાં, જેમનું તમે હારતેરા લઈને સ્વાગત કરે છે અને ગયા પછી નિંદા શરૂ કરે છે ! . વિદ્યાર્થીઓ કે જેમનું મન નિર્મળ છે એમના જીવનમાં તમે બગીચે સર્જવાને બદલે એને વેરાન કેમ કરે છે? Blotting Paperનું (શાહી ચૂસનું) કામ, સામે જે હોય તે ચૂસી લેવાનું છે, પછી એ કાળી શાહી હોય કે વાદળી હોય. એવું જ કામ વિદ્યાર્થીઓના માનસનું છે. એમનું માનસ શાહીચૂસ જેવું શીઘગ્રાહક છે, જે આપે તે ગ્રહણ કરે. આવા બાળમાનસને જે બીજા માર્ગે વાપરે છે. એક રીતે કહું તે, એ ભારતીય સંસ્કૃતિનું murder ખૂન કરે છે, એ મેટામાં મેટે ગુને કરે છે. સુંદર શૈશવને વધારે સુંદર બનાવવામાં આપણે સાથે આપવા પ્રયત્ન કરવાનું છે. આપણા વિચારથી, આપણી વાણીથી અને આપણા વર્તનથી એમના માનસ પર કઈ અસ સ્કૃત છાપ ન પડી જાય તે માટે સદા સાવધાન રહેવું પડશે. વિદ્યાની ઉપાસના કરતે કરતે વિધાથી જીવનનું એક દર્શન મેળવે છે. વિદ્યાથી ભણીને આવ્યા એની પ્રતીતિ શું છે? જીવનદર્શન શું છે? એના માપદંડનાં આ બે પાસાં છે : એક તે જીવનની શાશ્વત અને અશાશ્વત વસ્તુઓનાં મૂલ્યને વિવેક. બીજે પિતાનામાં જે આત્મા છે એવા જ
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy