SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] પૂર્ણના પગથારે - આત્મશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિને, બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં સંતેષને ઉદય થાય છે. ચિત્તને શાંતિની જરૂર છે. “અશાતા કુત: પુલમ અશાન્તને સુખ ક્યાંથી? એ ખાવા બેસે તે ખાવામાં ય એને આનંદ નહિ. અશાન્તિથી ખાનારના મોઢા ઉપર જે આનંદ ન હોય તે ઘણીવાર શાન્ત તપસ્વીના મેઢા ઉપર હોય છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ચિત્તમાં શાંતિ તે છે જ. ચિત્તમાં શાંતિ ન હોય એવા કઈ તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછો કે તમે શું ખાઈને આવ્યા? તે કહેશે ભૂલી ગયે, કારણકે એ ધમાલમાં પડેલું હતું, એવી પરિસ્થિતિમાં વસ્તુનો આસ્વાદ એ ક્યાંથી માણી શકે? પણ આવે અશાંત, ધમાલિયે આસ્વાદને માણી નથી શક્ય એટલા માત્રથી એને અનાસક્ત ન કહેવાય. આસકિત તે છે, પણ અવકાશ નથી. સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ ચિત્તમાં જે શાંતિ ન હોય તે દુનિયાની સમગ્ર વસ્તુઓ આપી દેવામાં આવે તે પણ માણસ સુખી બની શક્તો નથી. એટલે થેડી વસ્તુઓ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરે કે શાંતિ મળે.' કેટલાક માણસોની એવી માન્યતા હોય છે કે હું નહિ હાઉં તે આ બધાનું શું થશે. અને આમ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ લખી રાખજો કે તમે નહિ હે તે જગત વિઘુર નથી બની જવાનું. જગત તે એમ જ ચાલ્યા કરવાનું છે. કેઈએમ માનતે હોય કે હું નહિ હેવું તે શું થશે! અરે ભાઈ! તુ નહેતે તે પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય તે પણ જગત ચાલવાનું.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy