SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૬] પૂણ ના પગથારે સાચા બનાવા સાંભળ્યા હાય તો મન કેવું સુવિકસિત બની જાય ! ખરાબ વાતા ઘણીવાર આપણા દિવસે અને રાતાને અગાડી મારે છે, જ્યારે સારી વાત, સૂવા જતા પહેલાં સાંભળેલી કે વિચારેલી એક સારી વાત – રાતને સુંદર ભાવાથી ભરી દે છે. – નિયમિત પ્રાર્થના કરતા હાઇએ, પ્રભુનું સ્મરણ કરી, કોઈ મહાપુરુષનું જીવનચરિત્ર વાંચી, એ સુંદર સ્મરણામાં અને સ્મરણામાં ઊંઘી જતા હાઇએ તા કદાચ સ્વપ્ન આવે તે એમાં પણ ભગવાનની મૂર્તિઓ, તીર્થ સ્થળેા, સંતાનો સમાગમ, પ્રકૃતિનું પટણ એવું બધું જ આવવાનું. કેટલાકને સુંદર સ્વપ્ન આવે ત્યારે નવાઈ લાગે કે આજે ભગવાન મને સ્વપ્નામાં દેખાયા ! એક જ દહાડા સ્વપ્તામાં ભગવાન દેખાય એવું કેમ બને ? રાજ શયતાના દેખાય અને એક દહાડા ભગવાન દેખાય એટલે આશ્ચય ન થાય તે શું થાય ? પણ રાજ ભગવાન દેખાય એવું થવા માટે સૂતા પહેલાં પૂરી શાંતિ જોઇએ. કાનમાં સારા શબ્દો ગુ ંજતા હાય, આંખમાં સુંદર છબીઓનુ દર્શન હેાય અને પ્રાણામાં પ્રભુતાના પરાગ હાય તેનુ નામ સંયમી જીવન. અહિં'સા, સયમ પછી આવે છે તપ. માણસને કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો તપશ્ચર્યાં અનિવાર્ય છે. તપશ્ચર્યા એટલે માત્ર એકાસણું કે ઉપવાસ જ નહિ; એ કલાક પલાંઠી વાળીને બેસવું એ પણ તપ છે. “આ કામ હું કરીને જ ઊઠીશ.” એવા સંકલ્પથી તમે જે કર્યુ” એનુ નામ અભ્યંતર તપ કહેવાય. તમારી કાયાના ઉત્સર્ગ કરી સકલ્પ બળથી એટલી વાર તમે એક આસન પર બેઠા એ આંતરિક તપ છે. દેખનારને ખ્યાલ ન આવે કે આ
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy