SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨]. પૂર્ણ ના પગથારે થાય. તમારે પિતાને અનુભવ તમને નથી કહેતે કે ઘણવાર સ્વાર્થનું કામ કરતાં કરતાં માણસ જીવનથી પણ કંટાળી જાય છે. જ્યારે પરમાર્થનું કામ માણસને એક પ્રકારને સંતોષભર્યો આનંદ આપે છે. ધનપતિઓ થાકી જાય છે. એમની પાસે સેનું, ચાંદી, હીરા ખૂબ હોય છતાં પણ થાકી જાય છે કારણકે એમની પ્રવૃત્તિના મૂળમાં માત્ર સ્વાર્થ જ છે. આનંદ તે પરમાર્થથી જ મળે. પરમાર્થમાં એક પ્રકારને આરામ-recreation છે. પ્રાર્થના એ પરમાર્થ છે. એ કરીએ છીએ ત્યારે દેહભાવ ભૂલીને દિવ્યતા પ્રતિ પ્રયાણ કરીએ છીએ. પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જ જીવનનું પરમ ધ્યેય છે. એક નાના–શા બીજમાં કેવું ભેટ વૃક્ષ સંતાયેલું છે ! કેરી ખાતાં ખાતાં આ વિચાર કર્યો છે કદી ? આ કેરીની ગેટલીના હૃદયમાં પહેલું વૃક્ષ હજારે કેરીઓ આપી શકે એમ છે એ વિચાર્યું છે કદી ? ' એ રીતે આ દેહમાં વસતા આત્મામાં અસંખ્ય શકિતઓથી પરિપૂર્ણ પરમાત્મા છે. આપણે સ્વાર્થ, આપણા કષાય, આપણુ વિકારે આ દિવ્યતાને આવૃત કરે છે. પ્રાર્થના આ દિવ્યતાને પ્રગટ કરે છે. પ્રાર્થનાની પાછળ આ જ ભાવના છે. ગીતામાં કહ્યું છે. પરંતુ સામનામાના ‘ આત્માએ જ પિતાને ઉદ્ધાર કરવાને છે. તું તારો નાશ ન કર. તું જ તારે મિત્ર છે અને તું જ તારે શત્રુ છે.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy