________________ આ ૭રમાં અનેકાંત અને સ્વાદ્વાદ પણ Changing-હોય છે. એટલે જ્યારે ‘ભાવની અપેક્ષા' લઈને નિર્ણય કરવાનો હોય ત્યારે જે વસ્તુ અંગે આપણે વિચાર કરતા હોઈએ તે વસ્તુના પોતાના ગુણધર્મોને લક્ષમાં લેવાના છે. આ બરાબર સમજવા માટે થોડાક દૃષ્ટાંતો લઇએ.. 1. “કાળો અથવા લાલ રંગ', તે, ઘડાનો ભાવ છે. 2. “ગળપણ', તે સાકરનો “ભાવ” છે. 3. “રૂપ અથવા કુરૂપ', તે મનુષ્યનો બાહ્ય “ભાવ” છે... 4. “સ્વાર્થ અથવા પરમાર્થ', તે મનુષ્યનો આંતરિક “ભાવ” છે. 5. ‘ઉષ્ણતા', તે અગ્નિનો અને ‘શીતળતા', તે પાણીનો “ભાવ” છે. આ રીતે પ્રત્યેક વસ્તુના પોતપોતાના ગુણધર્મ અને સ્વભાવ ઇત્યાદિનો વિચાર કરીને “ભાવની અપેક્ષા’નો નિર્ણય કરવો. આમાં પણ વિવેક બુદ્ધિનો ઉપયોગ આવશ્યક છે. ' આ ચારે આધારને-અપેક્ષાને બરાબર સમજવા માટે એક સંયુક્ત દષ્ટાંત લઈએ. એક વસ્તુને લઇને જુદી જુદી અપેક્ષાએ કેવી રીતે નિર્ણય થાય તે જોઇએ. એક વિમાન-એરોપ્લેન લઇએ. દ્રવ્ય : એલ્યુમિનિયમ, લોખંડ, લાકડું વિગેરે જે પદાર્થો વિમાનને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તે આ વિમાનના દ્રવ્યો. ક્ષેત્ર : આમાં ઉત્પાદન અને કાર્ય એવા બે ક્ષેત્ર છે. એ લંડનમાં તૈયાર થયું છે એટલે એના ઉત્પાદનનું ક્ષેત્ર ‘લંડન અથવા લંડનમાં જે સ્થળે તેને બનાવનાર કારખાનું આવ્યું હોય તે સ્થળ એનું ક્ષેત્ર છે. કાર્યના ક્ષેત્રમાં જે વખતે તે જ્યાં પડેલું હોય અથવા ઉડતું હોય તે ક્ષેત્ર આવે. પડેલું હોય તો ‘વિમાની મથક એને ઉડતું હોય તો “આકાશ' એ તેના ક્ષેત્ર થયા. બેમાંથી જેની મુખ્યપણે વાત થતી હોય તે ક્ષેત્ર લેવું. કાળ : આમાં પણ ઉત્પાદનનો અને કાર્યનો એમ બે પ્રકારના કાળ આવે છે. તેને બનાવતી વખતે જે સમય હોય તે તેના ઉત્પાદનનો કાળ છે અને તે જ્યારે ગતિ કરી રહ્યું હોય ત્યારનો સમય તે એના કાર્યનો “કાળ છે. બેમાંથી જેની વાત મુખ્યપણે થતી હોય તે કાળે લેવો. ભાવ : એનો રંગ, દેખાવ, આકૃતિ અને કાર્ય એ વિમાનની ‘ભાવ છે. સામાન્ય રીતે એનું કાર્ય આકાશમાં ઉડ્ડયન કરવાનું હોય છે. એટલે ‘ઉશ્યન (આકાશમાં ઉડવું) એ વિમાનનો ભાવ છે. જૈન તત્ત્વવેત્તાઓએ ‘ઘટ’ (ઘડો) દષ્ટાંત તરીકે વાપરેલો છે. તેમાં માટી એનું દ્રવ્ય છે, જ્યાં બન્યો અથવા મૂક્યો હોય તે એનું ક્ષેત્ર છે, જ્યારે બન્યો