________________ 70 વાર અનેવંત અને સ્યાદ્વાદ 3. ભારતના વડા પ્રધાનનું કાર્યક્ષેત્ર ભારત દેશ છે. 4. ભાષણ કરનાર વક્તાનું તે વખતનું ક્ષેત્ર વ્યાખ્યાનમંચ અથવા વ્યાખ્યાન હોલ છે. 5. વાદળાનું ક્ષેત્ર આકાશ છે - આકાશમાંના જેટલા વિસ્તારમાં તે હોય તે. એટલે, “ક્ષેત્રની અપેક્ષાએ જયારે વિચાર કરવામાં આવે ત્યારે તે તે વસ્તુના દ્રવ્યનું ક્ષેત્ર-તેને રહેવાનું સ્થળ-એમ સમજવું. વિવેક બુદ્ધિનો ઉપયોગ આમાં પણ કરવો. ત્રીજી આધાર કાળ' છે. આ “કાળ'નો અર્થ અહીં, જે વસ્તુનો - વસ્તુના દ્રવ્યનો-આપણે વિચાર કરતા હોઈએ તેના તે અસ્તિત્વનો સમય એવો કરવાનો છે. વસ્તુનું જયારે પરિવર્તન થાય છે, જે વખતે એ પરિણમન થાય, તે એનો “કાળ-સમય છે. દ્રવ્ય તરીકે કાળ પોતે એક જુદો પદાર્થ છે. જે વસ્તુનું જે સમયે પરિણમન થતું હોય, તે સમયે, તે વસ્તુના પરિણમનનો સમય છે. એક જ વખતે અનેક વસ્તુઓનું પરિવર્તન થઈ રહ્યું હોય છે. પરંતુ એ બધી વસ્તુઓનું પરિણમન-પરિવર્તન-એક જ કાળે થયું એમ કહી શકાશે નહિ, એ પ્રત્યેક વસ્તુઓનું જે સમયે પરિવર્તન થયું, તે સમય, એ, વસ્તુના પરિણમનનો પોતાનો સમય છે, પોતાનો કાળ છે, એમ સમજવાનું છે. . આ વાત જરા અટપટી લાગશે. પરંતુ અહિં જયારે કાળ અથવા સમયની વાત આપણે કરીએ છીએ, ત્યારે, સમયની પોતાની વાત નથી કરતા. જે જે વસ્તુ અંગે કાળનો-સમયનો” આપણે વિચાર કરવાનો હોય. તે તે વસ્તુના સંદર્ભમાં કાળનો ઉલ્લેખ કરવાનો છે. ઘડિયાળના કાંટાની દૃષ્ટિથી કાળ-સમય-એક જ હોવા છતાં, તે સમય ઘડિયાળના કાંટાનો છે, બીજી વસ્તુના પરિવર્તનનો નથી. એ દૃષ્ટિએ, કાળની અપેક્ષાની વાત આપણે કરીએ, ત્યારે, જે વસ્તુની આપણે વિચારણા કરતા હોઈએ, તે વસ્તુના પરિણમનના સમયની, એટલે એ વસ્તુના પોતાના સમયની આપણે વાત કરીએ છીએ. આ વાત જરા વધારે સ્પષ્ટ કરીએ. કેરી અને કેળું એ બંને ફળ છે. આપણે બે જુદા જુદા ટોપલામાં કેરી અને કેળા રાખ્યા છે સંવત બે હજાર સત્તરના વૈશાખ સુદ પુનમના દિવસે સવારે સાત વાગે આપણે બંને ટોપલા ખોલીને જોઇએ છીએ, તો કેરી અને કેળા એ બંને ફળો પાકીને ખાવા લાયક થયા છે. બંને ફળો જ્યારે પાકીને ખાવા લાયક-તૈયાર-થયા ત્યારે તે દિવસે સવારના સાત વાગ્યા હતા.