________________
મેં પસંદગ
કરવાનું હોય ત્યારે તે અનેકાંત દ્વારા જ સાબિત કરી શકાય.
આ ઉપરથી એ સ્પષ્ટ સમજાશે કે પરસ્પર વિરોધી એવી બાબતો એક જ વસ્તુમાં છે એ વાત જ્યારે પુરવાર કરવાની હોય, શોધી કાઢવાની હોય, સમજવાની હોય ત્યારે જ અનેકાંતવાદની આવશ્યકતા ઉત્પન્ન થાય છે. વધારે સ્પષ્ટ વાત એ ફલિત થાય છે કે અનેકાંતવાદનો આશ્રય આપણે ન લઇએ, તો પછી, સાચા નિર્ણય ઉપર આપણે પહોંચી શકીએ જ નહિ.
અનેકાંત અને સ્યાદ્વાદ વગ
આટલા સંક્ષિપ્ત વિવરણ પછી અનેકાંતવાદની એક ટૂંકી વ્યાખ્યા જો આપણે કરવી હોય તો એમ કહી શકીશું કે :
“એક જ વસ્તુમાં રહેલાં પરસ્પર વિરોધી ગુણધર્મો અને તત્ત્વોને ખુલ્લા કરીને જે બતાવી શકે તે અનેકાંતવાદ. એથી વિપરીત, કોઇપણ વસ્તુનો નિર્ણય કરવામાં અનેકાંતવાદનો આશ્રય ન લેવામાં આવે તો, તે અંગેનો તેવો નિર્ણય સાચો હોઇ શકે જ નહિ.’’
અનેકાંતવાદ વિષે આટલી સ્પષ્ટ સમજણ લઇને હવે આપણે ‘સ્યાદ્વાદ’ની વિચારણા પર આવીએ તે પહેલા એક ખુલાસો કરવાની જરૂર છે કે આ પ્રકરણમાં કેટલીક બાબતો એકથી વધારે વખત કહેવામાં આવી હોવાથી પુનરુકિત દોષ જેવું જણાશે ખરૂં; પરંતુ વિષયની સમજણ વધારે સ્પષ્ટ થાય અને એ સમજણ બરાબર મનમાં ઉતરે એ હેતુથી, ઇરાદાપૂર્વક એમ કરવામાં આવ્યું છે.
હવે આગળ ચાલીએ.