________________
ના ૫૪મા અનેકાંત અને સ્યાદ્વાદ થી ક્રિયાશીલતાનો અભાવ હોઈ એની ઉપયોગિતા શું?
જગતને જો સર્વથા મિથ્યા જ માનવામાં આવે, તો પછી, જેને વાસ્તવિક (સત્ય) માનવામાં આવે છે તેવા બ્રહ્મ સાથે એનો સંબંધ જોડી જ કેવી રીતે શકાય? એવી જ રીતે જડ અને ચેતનને એકબીજાથી તદન ભિન્ન જ માનવામાં આવે તો પછી, એકની અસર બીજા ઉપર થાય એવી આશા પણ કેમ રાખી શકાય?
જગત જો પરિવર્તનશીલ હોય તો પછી, એ જગતમાંથી ઉત્પન્ન થયું હોવાનું વૈદિક તત્ત્વજ્ઞાનીઓ માને છે ને બતાવે છે, તે બ્રહ્મ પણ, પરિવર્તનશીલ જ હોવું જોઇએ, એમ જો ન હોય તો એક નિત્ય અને અપરિવર્તનશીલ બ્રહ્મમાંથી અનિત્ય અને પરિવર્તનશીલ જગતુ ઉદ્ભવે જ કેવી રીતે?
એકાંત નિત્યમાંથી અનિત્ય કે એકાંત અનિત્યમાંથી નિત્યનો સ્વતંત્ર ઉદ્ભવ કદી સંભવી શકે જ નહિ. આ વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ ખૂબ જ ભારપૂર્વક અને અસંદિગ્ધપણે કહી છે. એ વાત ખૂબ સમજવા જેવી છે. દ્વત, અદ્વૈત અને એના બધા ફાંટાઓમાંથી તથા ક્ષણિકવાદ વગેરે બધાં એકાંત તત્ત્વજ્ઞાનોમાંથી આ બધી સમજણ મળતી નથી. કેમકે એ બધા પાછળ દર્શાવ્યું છે તે મુજબ એક નય (એકાંતજ્ઞાન)ના આધારે અને એકાંતિક નિર્ણયો દ્વારા રચાયા છે. એ બધાની સામે સરોવરના સમૂહ સમક્ષ ઘૂઘવતા મહાસાગર સમો જૈન તત્ત્વજ્ઞાનનો અનેકાંતવાદ ઉભો છે. એની સમજણ એ જ સાચી સમજણ છે. આ વાત સ્વીકારવામાં હવે કશી આપત્તિ રહે છે? નથી રહેતી.
હજુ થોડુંક વિશેષ સ્પષ્ટિકરણ કરીએ.
સત્ય અને અસત્યને બદલે આપણે સત્ય અને અસત્વ એવા બે શબ્દો મૂકીએ. આ બંનેમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મો છે. પણ, અહીં આપણે પેલી ચાર અપેક્ષાઓને, ચતુષ્ટયને લાવીને મૂકીશું તો જણાશે કે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળભાવથી જે સત્ત્વ છે, તે જ સત્ત્વ પરદ્રવ્યક્ષેત્રકાળ ભાવથી અસત્ત્વ છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષામાં સ્વ શું અને પર શું? આ વાત નવી આવી, કેમ? આપણે એનું વિવરણ આગળ કરવાના છીએ. એટલે, અહીં એને એમજ રહેવા દઈને આગળ ચાલીએ. પરંતુ કશા સંભ્રમમાં ન રહેવાય એટલા ખાતર એક ટૂંકી સમજણ આપણે અહીં લઈ લઈએ. જયાં પોતે છે એ “સ્વ' અને જયાં “પોતે' નથી એ “પર'. આ વિષય ઉપર આપણે આવીયે ત્યાં સુધીમાં આનો થોડોક વિચાર જો કરી રાખશો તો તે વખતે એ સમજવાનું બહુ સહેલું થઈ પડશે. - આ રીતે, અસત્ત્વ અને સત્ત્વ, અનિત્યત્વ અને નિત્યત્વ, અનેકત્વ અને એકત્વ વિગેરે પરસ્પર વિરોધી ગુણધર્મવાળી બાબતોને તે વસ્તુઓને આપણે જો