SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આમ અનેકાંતવાદ મ મ મ ૪૫ થી સામે મોટામાં મોટો વાંધો એ છે કે “જે વસ્તુ સત છે તે જ વસ્તુ અસત કેવી રીતે હોઇ શકે ? જે નિત્ય છે તે અનિત્ય કેવી રીતે હોઇ શકે?” એક જ વસ્તુમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મોનું હોવું તેમને આકાશકુસુમવત્ લાગે છે. આંમ લાગવાનું કારણ, તેમણે એક વસ્તુને એક જ બાજુથી, એક જ સ્વરૂપે જોઈ છે અને બીજા સ્વરૂપો-બીજી બાજુઓ-જોવાનો પ્રયત્ન નથી કર્યો, તે છે. સત્યમાં અસત્ય કેવી રીતે હોઈ શકે ? આ સીધો સાદો સવાલ છે. આનો સાદો જવાબ શોધવા માટે આપણને દરરોજ થતા અનેક અનુભવોને આપણે સ્મૃતિપટ પર પાછા લાવીશું તો આવુ તો ઘણુ આપણને જોવા મળશે. આમા યાદ રાખવાની ખાસ વાત એ છે કે જૈન તત્ત્વવેત્તાઓએ વસ્તુના આખા સ્વરૂપને નજર સમક્ષ રાખીને આ વાત કરી છે, કોઈ એક અંગ કે સ્વરૂપ અંગે એ વાત નથી કરી. પાણીમાં થતાં શિંગોડાની વાત લઇએ. ઉપરથી તે કાળુ છે અને અંદરથી ધોળુ, એને માટે અલગ અલગ વાત કરવી હોય તો તેને કાળુ અથવા ધોળુ એમ એ વાત કરી શકાશે. પરંતુ, સમગ્ર સ્વરૂપે એ “કાળું અને ધોળું છે એવી એક જ વાત કરવી પડશે. એક માણસને માટે આપણે ‘ગૌરવર્ણ' એમ કહી શકીશું. પરંતુ સમગ્ર માનવજાત માટે આપણે અનેક રંગોની વાત એક સાથે કરવી પડશે. પૂર્ણચંદ્ર મહોપાધ્યાય નામનો એક વિદ્યાર્થી એના વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો છે. એને માટે આ વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો’ એમ કહીશું ત્યારે, એના વર્ગની અપેક્ષાએ એ “સત્ય વચન છે. પરંતુ બીજા વર્ગોના પરિણામ વિષે વિચાર કરીશું તો, બીજી અપેક્ષાએ, એ “અસત્ય વચન' પણ છે. એક બીજી વાત લઈએ. એક વસ્તુ જેના આધાર પર ટકી રહી હોય તેનાથી, તે આધારથી ભિન્ન હોઈ શકે નહિ એ વાતનો સ્વીકાર તો સૌ કોઈ કરશે. શરીરનો આખોય ભાગ એના બે પગ ઉપર આધાર રાખીને ચાલે છે તથા સ્થિર રહી શકે છે. અહીં પગ શું એના શરીરથી ભિન્ન છે? નથી જ. એવી જ રીતે, સત્યનું અસ્તિત્વ અસત્યના આધાર ઉપર જ નિર્ભર છે. આ વાત જરા ધ્યાનપૂર્વક વિચારો. અસત્ય જો ન હોત તો સત્યની આવશ્યક્તા જ ક્યાં હતી? અસત્ય જો ના હોત તો સત્યની ગણના જ કોણ કરત? જગતમાં અસત્ય છે માટે જ સત્ય છે; સત્ય છે માટે જ અસત્ય છે. બેમાંથી એક નહોત તો બીજુ પણ ન હોત એકને લઈ લો તો બીજુ આપમેળે ગૂમ થઇ જાય છે. એકની ગેરહાજરીમાં બીજું નિરર્થક બની જાય છે. આનાથી એ સ્પષ્ટ સમજાશે કે સત્ય અને અસત્ય બંને એકમાં જ એક સાથે જ રહેલા છે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy