________________
માં ૨૮મી મે મારા અનેકંત અને સ્યાદ્વાદ મને સહાયતાથી અને બીજું પોતાની મેળે. આ સચરાચર વિશ્વની તમામ જડ રચનાઓ, જીવની સહાયથી અથવા પોતાની મેળે મળતા અને છૂટા પડતા આ યુગલ પદાર્થને કારણે થાય છે અને થશે.
૫. જીવાસ્તિકાય: જે જડ નથી તેને ચૈતન્યશાલી ચેતન માનવામાં આવ્યું છે. આ ચૈતન્યશાલી ચેતન એ પણ એક દ્રવ્યપદાર્થ છે. એને આપણે “આત્મદ્રવ્યના નામથી પણ ઓળખી શકીશું.
૬. કાળ : આ કાળ, એ છä દ્રવ્ય છે. આ કાળદ્રવ્યનું એટલે સમયદ્રવ્યનું પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જૈન દ્રષ્ટાઓએ આને પણ એક જડ દ્રવ્ય માન્યું
ઉપર જણાવેલા એ છ દ્રવ્યમાં સારીયે વિશ્વરચનાનો સમાવેશ થઈ જાય છે, જીવરૂપી ચેતન દ્રવ્ય, પુલરૂપી જડ દ્રવ્ય (શરીર) સાથે મળીને, આકાશ દ્રવ્યરૂપી સ્થળમાં, ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની સહાયતાથી ગતિ અને સ્થિતિ, કાળ દ્રવ્યને સાથે લઈને કરે છે.
,
' : આ થઈ જૈન તત્ત્વજ્ઞાન મુજબની વિશ્વરચના વિષેની સમજણ અહીં એટલો ખુલાસો આવશ્યક છે કે ધર્મ, અધર્મ, આકાશ પુદ્ગલ અને જીવની સાથે જે અસ્તિકાય' શબ્દ જોડવામાં આવ્યો છે તે સહેતુક છે. “અસ્તિ” એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ. આ પાંચે દ્રવ્યના અસંખ્યાત પ્રદેશો અને સમૂહો માનવામાં આવ્યા છે. એટલે એમાં “અસ્તિકાય’ શબ્દને જોડવામાં આવ્યો છે. જ્યારે કાળ દ્રવ્યને કોઈ પ્રદેશ નહિ હોવાથી એની સાથે એ શબ્દને જોડ્યો નથી.
૯. મુક્તિમાર્ગમાં ઉપયોગી નવ તત્ત્વોનું જ્ઞાન પણ ઉપલાં છ દ્રવ્યોના આધારે જૈન દાર્શનિકો વડે નિરૂપાયેલું છે. એ નવ તત્ત્વો નીચે મુજબ છે :
૧. જીવઃ ચૈતન્યશાલી ચેતન. આ જીવ દ્રવ્યના આધારે નિરૂપાયું છે.
૨. અજીવ ચૈતન્યરહિત જડ પદાર્થ. આમાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળનો સમાવેશ થઈ જાય છે.
૩. પુણ્યઃ સારાં અને શુભ કર્મો. ૪. પાપ: ખરાબ કાર્યો. ૫. આસ્રવ આત્માની સાથે કર્મનો સંબંધ થવાનો માર્ગ:
૬. સંવરઃ જેના વડે કર્મબંધન થતું અટકે તે; આત્મામાં પ્રવેશ કરતાં કર્મોને રોકવાની આત્મા વડે થતી ક્રિયા.
૭. નિર્જરાઃ કર્મનો ક્ષય. આ ક્ષય બે પ્રકારે (૧) સકામનિર્જરા એટલે તપશ્ચર્યા આદિ સાધનો દ્વારા કર્મોને ખપાવવામાં આવે છે અને (ર) અકામનિર્જરા