SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૦૧પ અનેકાંત અને સ્યાદ્વાદશ ઇચ્છા મુજબના સંવેદનોને પેદા કરવાનું આપણા પોતાના હાથમાં છે. આ વાત પણ સ્યાદ્વાદનો સિદ્ધાંત આપણને સમજાવે છે. ‘સ્યાદ્વાદ’ સિદ્ધાંતને અનુસરીને જેમ જેમ આપણે એને પચાવતા જઇએ, તેમ તેમ, સુખ અને દુઃખ એ બંને પ્રકારનાં પરસ્પર વિરોધી સંવેદનો ઉપર આપણો પોતાનો કાબુ આવતો જશે. સમતા, સમભાવ અને સહિષ્ણુતા ભાવ આપમેળે આપણામાં પ્રગટ થતાં જશે. ક્ષણિક સુખદુઃખની પકડમાંથી ધીમે ધીમે મુક્ત થઇને અનંત આનંદના આપણે ભોક્તા બની શકીશું. આ આનંદમાંયે સ્વ અને પરનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના જ આપણને જોવા મળશે. સ્યાદ્વાદ સિવાય આવી પરમ કલ્યાણક પરિસ્થિતિનું સર્જન કદી પણ થઇ શકશે નહિ. અન્યાય કે અનીતિને સહન કરી લેવાનું કે ચલાવી લેવાનું સ્યાદ્વાદ આપણને શિખવતો નથી. જ્યાં જરૂર પડે ત્યાં લડી લેવાની એ આપણને ના પાડતો નથી. પણ, આવા સંયોગોમાં, જેને આપણે અન્યાય અને અનીતિ માનીએ છીએ, તે ખરેખર અન્યાય અથવા અનીતિ છે, કે પછી આપણા સ્વાર્થ અને મોહને કારણે આપણને એવું અયથાર્થ દેખાય છે, એ વાતની સ્પષ્ટ પ્રતીતિ સાંદ્વાદ આપણને કરાવશે. પછી, જ્યારે લડી લેવાની ન્યાયયુક્ત આવશ્યકતા ઉભી થશે, ત્યારે, એ લડી લેવાની ન્યાયપૂર્વકની, બુદ્ધિપૂર્વકની અને સમભાવયુક્ત પધ્ધતિ પણ આપણને સ્યાદ્વાદ જ બતાવશે, એ માર્ગે આપણા માટે સફળતા અને વિજય નિશ્ચિત બનશે. કર્મની વિચિત્રતા અને એ દ્વારા આત્માને વળગેલી અશુદ્ધતાના કારણે આ સંસારમાં સદ્ગુણોનો જે સમૂહ છે તે બધાનું ધારણ આપણે કરી શકતા નથી. સદ્વિચારોનું સાન્નિધ્ય અને સમજણ હોવા છતાં અસદ્ વિચારો અને અયોગ્ય કાર્યો આપણે કરતા જ રહીએ છીએ, ઇચ્છા ન હોવા છતાં, કેવળ સાંયોગિક પ્રભાવથી આપણા હાથે દુષ્કૃત્યો થઇ જાય છે. આ સ્થિતિ સમસ્ત સંસારની છે. એવી જ રીતે, કેટલાક સત્કાર્યો આપણી ઇચ્છા વિરુદ્ધ પણ થઇ જાય છે, કોઇ પણ જાતની યથાર્થ સમજણ વગર આપણે સારા કાર્યો પણ કરીએ છીએ. મંદિરમાંથી પ્રભુના દર્શન કરીને બહાર નીકળતી વખતે માર્ગની બંને બાજુએ બેઠેલા ભિક્ષુક વર્ગને ક્યારેક આપણે પાઇ પૈસાની કે લાડુચણાની લ્હાણી કરીએ છીએ. તો ક્યારેક રસ્તામાં મળેલા કોઇ ભિક્ષુક પર આપણે ગુસ્સો પણ કરીએ છીએ. આવું ઠેરઠેર જોવા મળે છે. આપણાં બધા જ કાર્યોની પાછળ કોઇ સુસ્પષ્ટ વિચારણા હોતી નથી. રૂઢી, પરંપરા, સ્વભાવ, ટેવ અને સંયોગોને આધીન બનીને મહદંશે આપણે વર્તીએ છીએ. આપણા હાથે જે થયું તે સારૂં કે ખરાબ, સાચું કે ખોટું, એ વિચાર કરવા પણ
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy