SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ માં અનેકંત અને સ્યાદ્વાદ વિગેરે કર્મો વિષે અધિકમાં અધિક માહિતી જૈન દર્શનમાં છે. (પુણ્યાનુબંધી પુણ્ય એટલે નવાં પુણ્યને નીપજાવનારો પુણ્યોદય, દા.ત. શ્રીમંતાઈમાં પણ ધર્મ સૂઝે. એમ બાકીના ત્રણ સમજી લેવા.) આ કર્મોના બંધનમાં અને છેદનમાં દ્રવ્ય કરતા ભાવ ઘણો મોટો ભાગ ભજવે છે. મનુષ્યના શરીરમાં જે મન છે, એ મનના બાહ્ય સ્વરૂપ વિષે થોડુંક આપણે જાણીએ છીએ, એના આંતર સ્વરૂપનો ખ્યાલ તો લાખમાં કોઈ પાંચપચીસને પણ હશે કે કેમ એ એક પ્રશ્ન છે. જે કર્મો, શરીર અર્થાત ઇંદ્રિયો દ્વારા આત્મા બાંધે છે, તે તો, મન દ્વારા બંધાતાં કર્મો સમક્ષ, પર્વત પાસે પતાસા સરખા હોય છે. કર્મબંધન અને છેદનનું આત્માનું મહાન સાધન મન છે. તેમાંયે જે આંતરમન છે, જેને અંગ્રેજીમાં (sub-conscious mind) કહે છે, તેમાં ચાલતી ધાંધલ તો અપરંપાર હોય છે. અંગ્રેજી ભાષામાં, બાહ્ય મન માટે (Conscious mind) (જાગ્રત મન) અને આંતરમન (Sub-conscious mind) (અર્ધ જાગ્રત મન) એવા શબ્દ પ્રયોગો છે, (અજાગ્રત મન) એવો એક શબ્દ પણ પાશિમાત્ય મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ વાપરે છે. અર્ધ જાગ્રતપણું અને અજાગ્રતપણું એ જાગ્રત મનની અપેક્ષાએ છે. બાકી, આત્માને લાગે-વળગે છે, ત્યાં સુધી માનસિક વૃત્તિઓ કરતાં આત્માના આંતરિક આશયો તેમજ વલણ વિગેરેનું મહત્ત્વ સવિશેષ છે. આત્માના જે આંતરિક શુભ-અશુભ ભાવ, લાગણી વગેરે ચાલે છે, તેને જૈન તત્ત્વ જ્ઞાનીઓ અધ્યવસાય' નામથી ઓળખે છે. . એક સટોડિયો પોતાના ઘરમાં એક રૂમ બંધ કરીને, ટેલીફોન દ્વારા, બેઠાં બેઠાં લાખોની ઉથલપાથલ જેમ કરે છે, તેમ આત્મા, પાર વગરની ઉથલપાથલો અંતઃકરણમાં કરતો હોય છે. એમ કહેવાય છે, કે એક ‘સમય’ જેટલા કાળમાં અનંત કર્મો બંધાય છે અને અનંત કર્મો છૂટે છે. “સમય” એ કાળનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગ છે અને જેને આપણે “એક સેકંડ’ કહીએ છીએ, એ સેકંડનો અસંખ્યાતમો ભાગ “એક સમય' તરીકે ઓળખાય છે. કર્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ પુદ્ગલો -અનંત પુદ્ગલો આ “એક સમય’ જેટલા ટાઈમમાં બંધાતા (જોડાતા) તથા વિખૂટાં (છૂટાં). પડતાં હોય છે. કર્મના પુદ્ગલોની સમગ્ર સૃષ્ટિ અતિ અતિ અતિ ગહન, ગૂઢ અને ર્વિરાટ છે, એનું સંપૂર્ણ, સર્વદર્શી અને પ્રત્યક્ષ જ્ઞાન તો આત્માનો પોતાનો જ્ઞાનગુણ જયારે ખીલે, પૂર્ણ કળાએ ખીલે, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે જ થાય છે. પરંતુ પરોક્ષ રીતે. એની મનોગત સમજણ મેળવવી હોય તો, એ જ્ઞાનનો વિપુલ ખજાનો જૈન શાસ્ત્રકારો પાસે છે. એની માહિતી મેળવી શકાય છે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy