SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪૧૩ મંઅનેકાંત અને સ્યાદ્વાદ વિજ્ઞાનીઓ જો મહેનત કરે તો તેમાંથી કંઇક ને કંઇક પ્રાપ્ત થશે તેવી આશા રાખવી અસ્થાને નથી. શરીરનાં પુદ્ગલોને વિજ્ઞાને કબૂલ રાખ્યાં છે, તો પછી કર્મનાં પુદ્ગલો વિષે કરવામાં આવેલું સંશોધન તદ્ન નિષ્ફળ નહિ જાય; કંઇ નહિ, તો છેવટે એ સંશોધન કરનાર આત્મિક પ્રયોગશાળા તરફ આકર્ષાશે પણ ખરા. આ સંસારની તમામ પ્રવૃત્તિઓનું, વિચિત્રતાઓનું, વિષમતાઓનું અને વિકાસ યા અવનતિનું એક મહત્ત્વનું કારણ ‘કર્મ’છે, એ વાત ઉપર તો આજે કશો મતભેદ રહ્યો નથી. કર્મશાસ્ત્ર ઉપર અનેક મોટા મોટા ગ્રંથો લખાયા છે. કેટલાક લોકો તો, આ કર્મના ખેલ ઉપર એટલા બધા મુગ્ધ છે કે સંસારની તમામ પ્રવૃત્તિઓ માટે તેઓ, એક માત્ર કર્મને જ કારણ માને છે. આ વિષય ઉપર અનાદિ કાળથી લખાતું આવ્યું છે, લખાઇ રહ્યું છે અને લખાતું રહેશે. આમ છતાં, કર્મ વિષે જે સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં, જૈન દાર્શનિકો દ્વારા રજુ થયેલા સાહિત્ય જેટલું ઊંડું, ગંભીર અને વિશાળ સાહિત્ય દુનિયાભરમાં ક્યાંય નથી. જૈન વિદ્વાનોએ લખેલા ‘કર્મગ્રંથો’ વાંચીએ તો આપણે હેરત પામીએ, છક્ થઈ જઇએ એટલી બધી વિગતો તેમાં આપણને જોવા મળશે. કર્મ વિષેની બારીકમાં બારીક છણાવટ ફક્ત જૈન સાહિત્યમાં જ મળે છે. આ વાતનો આંજે દુનિયાભરમાં સ્વીકાર થયો છે. કર્મ-વિજ્ઞાન વિષે સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવરણ અને સંપૂર્ણ વિગતો જૈન સાહિત્યમાં જ છે. કર્મના આત્મા સાથેના સંબંધો તેમજ કર્મના પુદ્ગલોની અગમ્ય અને અપાર લીલા એ એક એવડો વિરાટ વિષય છે, કે તેમાં ચંચુપાત માત્ર કરવા માટે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. આ વિષયને પૂર્ણ રીતે સમજાવી શકે તેવું સાહિત્ય અને એને ખૂબ ખૂબ સરસ રીતે સમજેલા જૈન વિદ્વાનો આજે પણ હયાત છે, એ, આપણું અને જગતનું એક મહા સૌભાગ્ય છે. ‘કર્મ’ જેવું કશુંક છે અને કર્મને કારણે જ સુખ, દુઃખ, સમાનતા, અસમાનતા વિગેરે ઘણો મોટો સંસાર ચાલતો રહ્યો છે, એ વાત તો આજે સર્વથા સ્વીકારાઇ ગઇ છે. ઇશ્વરવાદી મહાપુરૂષો, ‘રામ ઝરૂખે બેઠકે, સબકા મુજરા લેત; જૈસી જિનકી ચાકરી, વૈસા ઉનકો દેત;' એમ જ્યારે કહે છે ત્યારે તેઓ પણ આ કર્મની જ વાત કરે છે. એ પદ્યમાંનો, ‘ચાકરી’ શબ્દ કર્મનો જ સૂચક છે. આત્મા અને કર્મ વચ્ચેનો સંબંધ એક ‘સનાતન સંઘર્ષ’ છે. અંગ્રેજીમાં જેને ‘TUG OF WAR’ વિરૂદ્ધ દિશામાં દોરડું ખેંચવાની હરિફાઇ–કહે છે, એવી એક રમત આત્મા અને કર્મ વચ્ચે અનાદિ કાળથી રમાતી આવી છે. આ રમતની ખરી શરૂઆત, આત્મા જ્યારે મોક્ષ માર્ગ માટેનો પુરૂષાર્થ શરૂ કરે છે, ત્યારથી અમલમાં
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy