SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અનેકાંત અને સ્વાસ્વાદ પણ સમભાવને અપનાવે, ત્યારે જ એ સ્થિતિ પ્રાપ્ત થાય. આ સ્થિતિને સાચું અને પ્રત્યક્ષ લોકશાસન ગણવામાં આવ્યું છે-Real. Direct Democracy. આત્મિક ક્ષેત્રમાં પણ આવું જ છે. ઇંદ્રિયો અને મનદ્વારા જે આત્મતંત્ર ચાલી રહ્યું છે, તેને સ્થાને સ્વયં આત્મા દ્વારા જ પોતાનું તંત્ર પ્રત્યક્ષ સ્વરૂપે-Directચાલે અને ઇંદ્રિયો તથા મન ઇત્યાદિ કોઈ તંત્રની, કોઈ અધિકારી વર્ગની, કોઈ સત્તાની કે કોઈ માધ્યમની આવશ્યકતા રહે જ નહિ, એ મનુષ્યજીવન માટેનું અંતિમ આધ્યાત્મિક લક્ષ્ય-Final spiritual goal છે. જે જ્ઞાનની શોધ આપણે કરવાની છે, તે જ્ઞાન પ્રાપ્તિનો આપણો હેતુ પણ આત્માની આ અવસ્થાને સિદ્ધ કરવાનો હોવો જોઈએ. એને બદલે, આપણે ભ્રમણાઓમાં જ અટવાયેલા રહીએ છીએ. આપણી ચારે તરફ જે સાચી સમજણ પડેલી છે, તેની તરફ આપણું ધ્યાન જતું નથી. ઇંદ્રિયો અને વાસનાઓની પકડમાં આપણે એવા તો જડબેસલાક આવી ગયા છીએ કે જે સાચું નથી એને આપણે સાચું માનીએ છીએ અને જે સાચું છે તે આપણને ભાવતું નથી. જૈન તત્ત્વવેત્તાઓએ બતાવેલા જ્ઞાનનાં જે પ્રકારો આપણે અહીં જોયો તેનો બરાબર વિચાર કરતા સમજાશે કે જ્ઞાનના જે પ્રકારો બુદ્ધિગમ્ય અને વૈજ્ઞાનિક છે. એમાં અંધ શ્રદ્ધાની કે એકાંતિક વાત નથી. સાયન્ટીફક લેબોરેટરીમાં જેમ પ્રયોગો થાય છે તેમ આના પ્રયોગો પણ, આપણે આપણા આત્માની પ્રયોગશાળામાં કરી શકીએ છીએ અને એની સચોટતા, સાર્થકતા અને સિદ્ધિદાયકતા અનુભવી શકીએ તેમ છીએ. જ્ઞાન અંગેની આ વિચારણામાંથી આપણે તારણ એ કહ્યું કે સમ્યમ્ (સાચું) જ્ઞાન તે “અનુભવ જ્ઞાન” છે. કક્ષાભેદે એ અનુભવ પરોક્ષ થાય કે પ્રત્યક્ષ, પણ જ્ઞાન એટલે “અનુભવ” એ વાતનો સ્વીકાર તો હવે આપણે કરવો જ પડશે. એને બદલે આ સંસારમાં આપણને શું જોવા મળે છે? પારમાર્થિક (આધ્યાત્મિક) ક્ષેત્રમાંથી સાંવ્યવહારિક ક્ષેત્રમાં પાછા આવીને આપણે જોઇશું તો અહિં પણ જ્ઞાન અને અનુભવ વચ્ચેનો ભેદ આપણને સમજાશે. વ્યવહારમાં આપણે જેમને “જ્ઞાની” શબ્દથી સંબોધીએ છીએ, એમાંના મોટા ભાગના લોકો તો, “Encyclopedia-માહિતી-ભંડાર સિવાય વિશેષ કંઈ હોતા નથી. એમની પાસે જે હોય છે, તે જ્ઞાન નહિ પણ માત્ર માહિતી-Information હોય છે; અને તે પણ, પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવેલા-Encyclopedia માહિતી ગ્રંથની સરખામણીમાં અલ્પ, અતિ અલ્પ હોય છે. “જ્ઞાન” નામથી ઓળખાતી ઘણી બધી
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy