________________
મામ પાંચ જ્ઞાન સ્વાભાવિક અવસ્થાઓ રહેલી છે, એવી જ આ પણ એક અવસ્થા અથવા અવસ્થાઓ છે. એ ધ્યેય નથી. આત્મ મુક્તિનું સાધન પણ એ નથી. એ તો છેતરનારી, ઠગારી અને પ્રલોભનકારી અવસ્થા છે. ત્યાં જ અટક્યા, તો પછી આપણું આવી – જ બન્યું.
આ વાત શી રીતે સમજાય?
અગાઉ આપણે જે એવું વિધાન કર્યું છે, કે જ્ઞાનક્રિયાભ્યાં જ્ઞાનમ્' એ વાતનું તાત્પર્ય જો આપણે બરાબર સમજી લઈએ તો એ વાત પૂર્ણપણે સમજી શકાય. સદૂધર્મ અને સદૂગુરૂનું આલંબન આપણે લેવું પડે છે એનું આજ કારણ છે. એ આલંબન લેવા માટે જે વિવેકરૂપી જ્ઞાનની આપણને જરૂર પડે છે, તે જ્ઞાન, સાચા જ્ઞાન માટેનો તે સાચો માર્ગ, આપણને જૈન તત્ત્વવિજ્ઞાન-અનેકાંતવાદ અને સ્યાદ્વાદ બતાવે છે.
અમે કહીએ છીએ માટે માની લો એવી, “બાબાવાક્ય પ્રમાણ જેવી આ વાત નથી. યોગ્ય અવલંબન દ્વારા એનો પ્રયોગ આપણે પોતે કરીએ છીએ. એનો અનુભવ પણ આપણે કરી શકીએ છીએ. જેનો અનુભવ આપણને થાય, તેજ સાચું જ્ઞાન છે. આ અનુભવ પરોક્ષ નહિ, પણ પ્રત્યક્ષ થવો જોઈએ.
ઈન્દ્રિયો અને મનની સહાયતા દ્વારા જે અનુભવ આપણે કરીએ છીએ, તે ‘પરોક્ષ અનુભવ છે; સમ્યસાચા-માર્ગે હોઇએ, ત્યારે પણ એ અધૂરો અનુભવ " છે. પૂર્ણ અનુભવ તો, કેવળ આત્મા દ્વારા, અન્ય કશાયની-કોઇ પણ માધ્યમનીસહાયતા વિના જ થઈ શકે. એ અનુભવ જ પ્રત્યક્ષ છે; બીજો નહિ.
રાજકારણમાં લોકશાસન અંગે,For the people, by the people and of - the people -‘લોકો માટે, લોકો વડે અને લોકોનું –એવું એક વાક્ય છે. આત્માના
ક્ષેત્રમાં પણ આપણે જે અનુભવ મેળવવાનો છે, તે પણ, “આત્મા માટે, આત્મા વડે ' અને આત્માનો-For the soul, by the soul and of the soul' એવો હોવો જોઇએ.
રાજદ્વારી તત્ત્વજ્ઞાન- Political philosophyના ચિંતક મહાનુભાવોએ પૂર્ણ લોકશાસન અને સુરાજ્ય અંગેની જે ઉચ્ચ અને ઉદામ-Highest extreme-કલ્પના કરી છે તેમાં “રાજા, રાજયકર્તા અથવા રાજ્યતંત્ર જેવું કશું જ હોય નહિ, કોઈ પણ પ્રકારની રાજયસંસ્થા વિના, લોકો પોતે જ એવી રીતનું ઉચ્ચ, પારમાર્થિક અને આદર્શ જીવન જીવે, તેને અંતિમ આદર્શ-Final goal-ગણવામાં આવ્યો છે. પોલીસની, લશ્કરની, અદાલતોની અને રાજય નામની કોઈ સત્તાની જરૂર જ ના પડે એવું ક્યારે બને? માનવ સમાજ સમસ્ત, માનવતાની ‘શિવમસ્તુ સર્વજગતઃ ની ભાવનાથી વિભૂષિત થઇ જાય, સ્વાર્થ અને સંકુચિતતાના સ્થાને પરમાર્થ અને