SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ માં પાંચ જ્ઞાન ૧૬૩ એને પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. આ અર્થમાં, મતિ અને શ્રત એ બે ‘પરોક્ષ જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનને આપણે અહીં પ્રત્યક્ષ જ્ઞાન' ગણાવ્યા. પણ, એમાંય બે વિભાગ છે. અવધિજ્ઞાન તથા મન:-પર્યવ જ્ઞાનને દેશ પ્રત્યક્ષ' અથવા અંશ પ્રત્યક્ષ કહે છે. કેવળજ્ઞાનને ‘સકલ પ્રત્યક્ષ અથવા ‘પૂર્ણ પ્રત્યક્ષ કહે છે. - કેવળજ્ઞાન, ‘રૂપી, અરૂપી ધૂળ, સૂક્ષ્મ ઇત્યાદિ સર્વ પદાર્થોને સર્વ દ્રવ્યને, સર્વ કાળે અને સર્વ પર્યાયોથી જાણે છે; એટલે એને “સકલ પ્રત્યક્ષ' કહ્યું. અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન સર્વ પદાર્થોને અને સર્વ પર્યાયોને જાણતા નથી; કેવળજ્ઞાનની અપેક્ષાએ એ બે જ્ઞાન અપૂર્ણ છે. એટલા માટે, અને દેશ પ્રત્યક્ષ' એટલે 'મર્યાદિત પ્રત્યક્ષ' કહ્યા છે. પરંતુ તેથી એનો અર્થ એવો નથી થતો, કે એ બે જ્ઞાન ઓછાં નિર્મળ યા ઓછા મહત્વવાળાં છે. મતિ અને શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અવધિ અને મન:પર્યવ જ્ઞાન એ જ્ઞાનની ઘણી ઉંચી સ્થિતિ બતાવે છે. આજકાલ જેને આત્મ સાક્ષાત્કાર, જીવનમુક્તિ’ વિગેરે શબ્દોથી ઓળખવામાં આવે છે, એ સ્થિતિ તો પ્રાયઃ મતિજ્ઞાનની અવસ્થા છે.મનની શક્તિઓને ખીલવીને અમુક ચોક્કસ વિકાસ સાધી શકાય છે. અને વિલક્ષણ પરિણામો તેથી લાવી શકાય છે. આ રીતે થતા માનસીક શક્તિના વિકાસમાં પ્રાપ્ત થતા કોઈ કોઈ અનુભવોને * કેટલાક લોકો આત્મસાક્ષાત્કાર' ગણે છે.પરંતુ, વાસ્તવમાં આ મતિ જ્ઞાનની અવસ્થા છે; એટલે, આધ્યાત્મિક વિકાસની એ તો માત્ર એક પ્રાથમિક ભૂમિકા જ છે. આમાં - મિથ્યા જ્ઞાનને પણ અવકાશ છે. માણસનું મન, એ એક વિરાટ વિષય છે. મનની શક્તિ અમર્યાદિત છે. મન ઉપરના કાબુ અને નિયંત્રણ દ્વારા ઘણુ ઘણુ જાણી અને સમજી શકાય છે. મનને . પોતાની આંખો, પોતાના કાન,પોતાનું નાક,પોતાની જીભ અને પોતાની ત્વચા સોય છે. આ બધું સુક્ષ્મ હોય છે, એટલે, ઇન્દ્રિયગમ્ય નથી. જુદા જુદા, યોગો, ભક્તિ આદિ એકાગ્રતાને પ્રાપ્ત કરાવતા ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા મનની શક્તિનો અમર્યાદિત વિકાસ સાધી શકાય છે. ચર્મ ચક્ષુઓની સહાયતા વિના,આકાર તથા સ્વરૂપને, મન જાણી શકે છે. કાનની સહાયતા વિના, દૂર દૂર થતી વાતચીતને મન સાંભળી શકે છે.ગંધ અને સ્પર્શને પણ, તે તે ઇન્દ્રિયોની સહાયતા વિના મન અનુભવી શકે છે. બીજા માણસોના મનમાં ચાલતા વિચારોને પણ મને વાંચી શકે છે. મનની આ અદ્દભૂત શક્તિનો વિકાસ કરનાર માણસ, ક્યારેક, આ વિશ્વમાં સહેજે ‘મહાત્મા’ બની જાય છે. આવા શક્તિશાળી મહાનુભાવની આસપાસ
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy