SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બેરિસ્ટર ચકવર્તી g g g૧૪૫ ક્ષેત્ર : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાનું ક્ષેત્ર તેમની જ્ઞાતિ છે. પરંતુ આ જ્ઞાતિમાં પણ જે ગરીબ વર્ગછે તે ક્ષેત્રમાં જ તેમની ઉદારતા પ્રગટ થાય છે, અન્યથા કાળ : બેરિસ્ટર ચક્રવર્તી, સવારે નિત્ય કર્મથી પરવારીને તેમના અસીલોને મળવામાં અને કોર્ટ અંગેના કામની તૈયારી કરવામાં સમય વિતાવે છે. દિવસના ભાગમાં તેઓ કોર્ટનાં કેસ ચલાવવામાં રોકાયેલા રહે છે. સાંજે ક્યારેક ક્યારેક ક્લબમાં જઈને થોડો સમય તેઓ બ્રીજ રમે છે. એ દરમિયાન, ક્યારેક તેઓ વહીસ્કીના બે ચાર પેગ પણ ચડાવે છે. રવિવાર અને રજાના દિવસોએ તેઓ પોતાના ઘરમાં જ હોય છે. એટલે, તેમની ઉદારતાનો કાળ (સમય) તેઓ જ્યારે કામમાં રોકાયેલા ન હોય, ક્લબમાં ન ગયા હોય અને નશો ન કરેલો હોય તે સમય છે. આ રીતે તેઓ જયારે ફુરસદમાં હોય ત્યારે તેઓ એમની ઉદારતાને ક્રિયાશીલ બનાવે છે. એટલે એમની ઉદારતા માટે કાળની અપેક્ષા તે એમની “ફુરસદનો સમય” છે. ભાવ : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેનો ભાવ, તેમનો “શિક્ષણપ્રેમ’ છે. કેળવણી સિવાયના બીજા કોઇ કાર્યમાં તેઓ રાતો પૈસો પણ ખર્ચતા નથી. તે એટલે સુધી કે માણસ ભૂખે મરી જતો હોય તો પણ, તેઓ એક પાઈ પણ ખીસામાંથી કાઢતા નથી. કેળવણી સિવાયના બીજા બધા વિષયોમાં તેઓ તદ્દન અનુદાર છે. શિક્ષણને લગતી બધી જ બાબતોમાં તેઓ છુટા હાથે પૈસા ખર્ચવા તૈયાર હોય છે. " આમ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની ચાર અપેક્ષાઓ ઉપર બતાવી તે છે. • ટૂંકમાં, બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતા માટે “પૈસા” એ ‘દ્રવ્ય છે, તેમનાં ગરીબ જ્ઞાતિજનોએ “ક્ષેત્ર છે. ફુરસદનો અને નશો કરેલો ના હોય તેવો તેમનો સમય તે કાળ છે. અને તેમનો “શિક્ષણપ્રેમ એ “ભાવ' છે. આ ચાર તેમનાં સ્વદ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વ-ભાવ રૂપી “સ્વચતુષ્ટયે’ થયા. એવી જ રીતે, તેમની પાસે જયારે ફાજલ પૈસા ન હોય એ “પર-દ્રવ્ય' છે. તેમનાં ગરીબ જ્ઞાતિજનો સિવાયના બીજા બધા લોકો એ “પર-ક્ષેત્ર છે. જ્યારે કામમાં રોકાયેલા હોય અથવા નશો કરેલો હોય તે સમય, ઉપર-કાળ છે અને શિક્ષણ-કેળવણી-સિવાયના બીજા બધા જ વિષયો એ “પર-ભાવ છે. આ તેમનું પર-ચતુટ્ય એટલે ઉદારતા માટેના “પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર,' “પરકાલ અને પરભાવ” થયું. આમ, ઉપર જણાવ્યા મુજબના સ્વચતુચની અપેક્ષાએ બેરિસ્ટર ચક્રવર્તી
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy