________________
શ્રીચંદ્ર” ના વારસદારોની માહિતી અનેકાન્ત સ્યાદ્વાદ” ના પુનર્મુદ્રણ પ્રસંગે લેખકશ્રી ચંદુલાલ શકરચંદ શાહ (શ્રીચંદ્ર) ના વારસદારો તરફથી :
પુજ્ય આચાર્ય ભગવંતશ્રી મિત્રાનંદસૂરીશ્વરજીની શુભાશીષભરી પ્રેરણા અને પુજયશ્રી બાબુભાઈ કડીવાળાના પ્રેરક સક્રિય સહકારભર્યા આશીર્વાદથી અલભ્ય થઈ ગયેલ આ પુસ્તકનું ગુજરાતીમાં પુનઃમુદ્રણ કરવાનું શક્ય બન્યું છે ત્યારે એકતાલીસ વર્ષ પૂર્વે ૨૪ જાન્યુ. ૧૯૬૨ના પ્રાત:કાળે પરલોકે સીધાવી ગયેલા પુજય પિતાશ્રીને ભાવપૂર્વક વંદન કરીયે છીએ. અમે સાત ભાઈ બહેનો તે વખતે ૧૦ વર્ષથી ૨૫ વર્ષની અંદરની ઉમરના! અને તે વખતે કુટુંબનું સુકાન ખુબ જ કુશળતાપૂર્વક સ્વ. પુજ્ય બા લીલાબાએ સંભાળી લીધેલું અને ઈ.સ. ૨૦OOના ૩૦ મેના રોજ ૮૯ વર્ષની વયે તેમણે પણ અમને સહુને શાસન સેવા અને જૈનત્વનો સંસ્કારવારસો આપીને વિદાય લીધી. સ્વ. બાપુજી, અમે પિતાશ્રીને બાપુજી. કહેતા - એ તેમના પંડીત મિત્રતાના શોખના અમને સહુને પણ સંસ્કાર આપ્યા હતા. : : - આર્થીક ઉણપોને આધ્યાત્મિક ઉત્થાનની અનુપમ તકમાં ફેરવવાની ' તેમની અદ્ભુત શક્તિએ, તેમને પુજ્ય પન્યાસજીશ્રી ભદ્રંકર વિજયજી, પુજ્ય આચાર્યભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી (તે વખતે તેઓ પુજયશ્રી પન્યાસ પદવીએ બિરાજતા હતા) આદિ ઉત્તમોત્તમ ગુરૂભગવંતોના સાન્નિધ્યમાં સ્થાપીત કર્યા અને છેક સુધી ગુરૂભગવંતોના કૃપા પાત્ર અને પ્રીતિપાત્ર બની રહ્યા. તેમણે વિદાય લીધી ત્યારે છેલ્લા દોઢ માસથી મૌન પાળતા હતા અને તેમની સારવાર અર્થે આવેલા ડૉ. વિશ્વબંધુને “ડોક્ટર, NePulse, Fished! નમો અરિહંતાણી!” એટલા શબ્દોથી આવકારીને અરીહંતમય બની ગયેલા તેમના આત્માએ જાણે જીવનનું અંતિમ લક્ષ્ય સાધી લીધું.
પુજ્યશ્રી બાબુભાઈ કડીવાલા પણ તેમના ગુરૂબંધુ અને હજુ ય મળે