________________
૧૧૨ ના અનેકાંત અને સ્યાદ્વાદ પણ રહીને, નિશ્ચિત સ્થાને પહોંચવા માટેનો આચરણ-માર્ગ પણ આપણને બતાવે છે. આ વ્યવહારને સ્પર્શતી વાત થઇ.
એટલે જ્યારે વ્યવહારમાં આચરણ કરવાની વાત આવે, ત્યારે નિશ્ચય નયને નજર સામે રાખીને જ આપણો વર્તમાન - Code of conduct - આપણે નક્કી કરવો પડે. નિશ્ચય દષ્ટિ તત્ત્વસ્પર્શી પવિત્ર જ્ઞાન દૃષ્ટિ છે. આપણા વ્યવહારમાં દાખલ થઈ જતી અશુદ્ધિઓને દૂર કરવાનું અને અટકાવવાનું કામ તે કરે છે. આપણા ધ્યેયને નજર સમક્ષ રાખ્યા વિના આપણો કાર્યક્રમ નક્કી કરવામાં આવે, તો તેથી કશો અર્થ સરતો નથી. એ જ રીતે, પારમાર્થિક ક્ષેત્રમાં આપણે નિશ્ચય દષ્ટિ અળગી કરીને વર્તવા માંડીએ, તો આપણે ખાડામાં જ પડવાના. એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એવું કહ્યું છે, કે માણસે પોતાનું આંતરિક તેમ જ બાહ્ય એમ બંને પ્રકારનું જીવન ઉચ્ચ અને શુદ્ધ રાખવું.
આપણી નજર નિશ્ચિત હોવા છતાં વ્યવહારને આપણે શુદ્ધ ન રાખીએ અથવા વ્યવહાર શુભ આશયી હોવા છતાં, નિશ્ચય ઉપરથી આપણું ધ્યાન જો આપણે ખસેડી નાંખીએ તો તે બંને કાર્ય આપણે માટે વિઘાતક બની જશે. .
જ્ઞાન અને વિવેકના સદ્ભાવ-અભાવમાં જે કંઈ કરવામાં આવે છે. તેને અંગે જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જે આસવા તે પડિસ્સવા, જે પડિસ્ચવા તે આસવા’ અર્થાત્ “આત્માને કર્મબંધ કરાવનારાં સ્થાનો (જ્ઞાની કે વિવેકીને) કર્મમાંથી છોડાવે છે અને કર્મમાંથી છોડાવનારાં સ્થાનો (અજ્ઞાની કે અવિવેકીને) કર્મનો બંધ કરાવે છે. આ વાત બહુ સમજવા જેવી છે. આ વાક્ય દ્વારા એવો બોંધ આપવામાં આવ્યો છે કે, જે પ્રવૃત્તિ, જ્ઞાની તથા અવિવેકીને કર્મનાં બંધન કરાવનારી બને છે, તે જ પ્રવૃત્તિ, જ્ઞાની અને વિવેકી સજજનોને કર્મમાંથી મુક્તિ આપનારી - કર્મનિર્જરારૂપ થાય છે. એથી ઉલટું, જે પ્રવૃત્તિ અજ્ઞાની તથા વિવેકી આત્માઓને કર્મનાશરૂપ બને છે, તે જ પ્રવૃત્તિ, અજ્ઞાની અને અવિવેકી પુરૂષોને કર્મબંધનરૂપ થાય છે.
દાખલા તરીકે, એક જ્ઞાની અને વિવેકી માણસ કોઈ માંદાની માવજત કરે છે, ત્યારે પોતાનામાં પરકલ્યાણની શુભ ભાવના સચવાઈ રહે અને અહંભાવ ઉપસ્થિત ન થાય, તેવો નમ્રતા ભાવ જાળવી રાખવા માટે તે સતત પ્રયત્નશીલ હોય છે. એથી ઉલટું અજ્ઞાની અને અવિવેકી માણસના હાથે કોઈ જનકલ્યાણનું નાનું સરખું પણ કામ થઈ જતાં, તે અહંકારથી ફલાઇને જ્યાં ત્યાં પોતાની બડાશો મારતો હોય છે, અથવા પોતે એક મહાન્ સત્કાર્ય કર્યું એવા અહંભાવને પોષતો હોય છે. અહીં સેવાનું કાર્ય બંને જણે કર્યું. પરંતુ સમજણ ભેદે એકને માટે તે કર્મનાશમાં પરિણમ્યું અને બીજાને માટે તે કર્મબંધન બની ગયું.