SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૯૪ રન અનેમંત અને સ્યાદ્વાદ વસ્તુ અને શબ્દના જે સામાન્ય તથા વિશેષ અર્થ હોય છે તેની બરાબર સમજણ ન હોય તો ઘણી બાબતોમાં અને ખાસ કરીને તત્ત્વજ્ઞાનને લગતી ઊંચી ભૂમિકાની બાબતમાં અર્થનો અનર્થ થવાનો સંભવ હોય જ છે. મૂળ વિષય પર પાછા ફરતાં હવે એ વાત તરફ ધ્યાન ખેંચીએ કે અગાઉ પરિચયના પ્રકરણમાં દર્શાવાયું છે તે મુજબ, આ સાત નયને શાસ્ત્રકારોએ બે ભાગમાં વહેંચ્યા છે. (૧) દ્રવ્યાર્થિક : અહીં ‘દ્રવ્ય' શબ્દનો અર્થ “સામાન્ય” (General) એવો કરવાનો છે, આપણે, “માણસ” અથવા “જનાવર’ એવો શબ્દ જ્યારે વાપરીએ ત્યારે, “બધા જનાવરો જેવું કોઇ એક જનાવર’ એવો સામાન્ય અર્થ તેમાંથી નીકળશે આવી જ રીતે પ્રત્યેક વસ્તુમાં “સામાન્ય અર્થ પણ હોય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર' એ ત્રણ નવો વસ્તુના આ સામાન્ય અર્થને અનુસરે છે અને સામાન્ય અર્થની સમજણ આપે છે, ખાસ યાદ રાખવાનું પાછું એ છે કે, આ સામાન્ય અર્થ પણ જુદો જુદો અને પરસ્પર વિરોધી લાગતો હોઈ શકે છે. | (૨) પર્યાયાર્થિક : અહીં, પર્યાય શબ્દનો અર્થ. “વિશેષ” એવો કરવામાં આવ્યો છે. દ્રવ્યને આપણે કોઇક વસ્તુ (Substance) તરીકે ઓળખીએ છીએ અને પર્યાયને તે વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા (Different forms or appearances of the substance) તરીકે ઓળખીએ છીએ. જયારે મૂળ દ્રવ્યમાં કોઈ અવસ્થાભેદની કલ્પના કરીએ, ત્યારે, તેમાંથી વિશેષ (ખાસ) અર્થ નીકળે છે. દાખલા તરીકે માણસ તરીકે માણસ “સામાન્ય છે; પરંતુ એ જ માણસ કોઈ સભામાં વ્યાખ્યાન આપતા હોય ત્યારે ત્યાં તે “વક્તા” એવા વિશેષ અર્થમાં રજુ થાય છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને અવંભૂત એ ચાર નયો આ રીતે પર્યાયાર્થિક એટલે વસ્તુને વિશેષ રૂપે ઓળખાવનારા છે. આ વિશેષ સ્વરૂપો પણ પાછા ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી હોઈ શકે છે, એ યાદ રાખવાનું છે. આ દૃષ્ટિથી પ્રથમ ત્રણ નય : નૈગમ, સંગ્રહ અને વ્યવહાર સામાન્યાર્થિક નય તરીકે ઓળખાય છે. છેલ્લા ચાર નય : ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત', વિશેષાર્થિક નર તરીકે ઓળખાય છે. એમને માટેના પારિભાષિક શબ્દો ઉપર જણાવ્યા છે તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક અનુક્રમે છે. હવે આમાં બીજી એક સમજવા જેવી અને મહત્ત્વની વાત પણ છે. અગાઉ આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ અપેક્ષા ચતુષ્ટયની-ચાર આધારોની વાત કરી ગયા છીએ. એવી જ રીતે, અહીં નયનો વિચાર કરવામાં ચાર શબ્દો ધરાવતી એક યા બીજી બાબત પણ આપણે સમજી લેવાની છે.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy