________________
નય વિચાર, પ્રણામ અને નિક્ષેપ કરવામાં ૯૩ માં આવશ્યક બને છે.
વસ્તુના સામાન્ય અથવા વિશેષ અર્થનો ખ્યાલ રાખ્યા વિના જો વાત કરવામાં આવે તો અર્થનો અનર્થ બની જવાનું તદન સંભવિત છે. દાખલા તરીકે, એક કોઇ માર્ગ પર ચાલતાં, આપણને એક ઓળખીતા ભાઈ મળીને એવા ખબર આપે કે ‘આગળ જમણી તરફનો જે રસ્તો છે તે બંધ છે. આ એક સામાન્ય અર્થ થયો. મરામત થઇ રહી છે અને વાહનોની અવરજવર માટે રસ્તો બંધ છે.' એવો વિશેષ અર્થ કરતા વાક્યનો પ્રયોગ જો ન કરવામાં આવે તો સંભવતઃ આપણે પાછા ફરીશું અને આપણું કામ વિલંબમાં પડશે અથવા બગડશે.
બીજો એક દાખલો લઈએ. એલોપેથિક ઔષધોની ઘણી બાટલીઓના લેબલ ઉપર 'Poison' -ઝેર-એવો શબ્દ છપાયેલો આપણે જોઇએ છીએ. સામાન્ય અર્થમાં ‘ઝર’ શબ્દનો અર્થ ‘પ્રાણઘાતક પદાર્થ એવો થાય છે. ડૉક્ટરે આપણને ‘સીઝાબોલ’ નામની ઔષધી લાવીને અમુક રીતે વાપરવાની સૂચના આપ્યા પછી, એ ઔષધ લેવા કેમીસ્ટ'ને ત્યાં આપણે જઇએ અને એની ઉપરના પોઇઝન’ શબ્દને વાંચીને જો પાછા આવીએ તો અર્થનો અનર્થ થશે કે નહિ? આને લગતો એક રમુજી પ્રસંગ આ લેખકને યાદ છે : - સંતાન વિનાના એક ધનવાન ગૃહસ્થનો એક ભત્રીજો ડૉક્ટર થયો હતો. એના પેલા કાકાને હૃદયની અમુક બિમારી હતી. કાકાને પૈસા ન ખર્ચવા પડે એવા હેતુથી, એની પાસે નમુના-Sample-તરીકે મફત આવેલી Neocor' નીઓકોર નામની એક દવાની ગોળીઓની બાટલી એણે પોતાના કાકાને આપી અને છાતીમાં દુખાવો ઉપડે ત્યારે આમાંની એક ટીકડી પાણી સાથે લઈ લેજો” એમ તેણે કહ્યું. કાકા અંગ્રેજી બે ચોપડી ભણેલા અને આયુર્વેદિક ઔષધોમાં વધારે શ્રદ્ધા ધરાવતા હોઇ વિલાયતી દવા વાપરવાનો આ પહેલો જ પ્રસંગ તેમને હતો. બાટલીના લેબલ - ઉપર છપાયેલો “પોઇઝન' શબ્દ વાંચીને તેઓ રડવા લાગ્યા. કોઈ રીતે છાના રહે - જ નહિ. પછી એમના એક વિશ્વાસુ મિત્ર પાસે ખાનગીમાં તેમણે નીચે મુજબ ખુલાસો કર્યો:
“જગજીવનભાઇ, જોયું? આ બાબુને મારા ખર્ચે ભણાવીને મેં ડૉક્ટર બનાવ્યો હવે મારી મિલ્કત ઝટ એના હાથમાં આવે એવું પાપ એના મનમાં ઉગ્યું છે. એ મને ઝેર આપીને મારી નાખવા માગે છે.”
જગજીવનભાઈ પ્રથમ તો ચમક્યા. પણ પછી વિશેષ વિગત તેમને જયારે જાણવા મળી ત્યારે તેઓ હસી પડ્યા. કાકાએ વગર સમજે અર્થનો કેવો અનર્થ કર્યો હતો એ વાત તેમણે એમને સમજાવી ત્યારે કાકાનો જીવ હેઠો બેઠો. આ રીતે,