________________
A ૮૮ ટ કા અનેવંત અને સ્યાદ્વાદ પણ
શાસ્ત્રકારોએ, નયને પ્રમાણનો એક અંશ માન્યો છે. પ્રમાણમાં પણ આગમાં અથવા શ્રુત (શાસ્ત્ર) પ્રમાણનો એ અંશ છે. અહીં આપણે પ્રમાણની વાતને વચ્ચે લાવ્યા છીએ, તો ચાલો, પ્રમાણને પણ બરાબર સમજી લઈએ.
પ્રમાણ એટલે “સાબિતી. - Proof’ જેના વડે વસ્તુ નિઃસંદેહ અને બરાબર જણાય તથા સમજાય, એ, “પ્રમાણ'.
“મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ' એવાં જે પાંચ જ્ઞાન જૈન તત્ત્વવેત્તાઓએ બતાવ્યા છે, તેને, જ્ઞાન સ્વયં એક પ્રમાણ હોઇ, પ્રમાણ તરીકે પણ બતાવ્યા છે. આ પાંચ જ્ઞાન’ વિષે એક જુદું પ્રકરણ આગળ આવવાનું છે. એટલે, અહીં તેનો આટલો ઉલ્લેખ કરીને આપણે આગળ ચાલીએ.
ન્યાયદર્શનમાં ચાર પ્રમાણો બતાવવામાં આવ્યા છે. આમાં, “પ્રત્યક્ષ અને પરોક્ષ' એ નામના બે મુખ્ય પ્રમાણો છે. પરોક્ષ પ્રમાણના ત્રણ વિભાગો બતાવ્યા છે, પ્રત્યક્ષ તથા પરોક્ષ શબ્દોના અર્થ તો ઝટ સમજાય તેવા સર્વસાધારણ છે. પરોક્ષ પ્રમાણમાં (૧) અનુમાન (૨).ઉપમાન અને (૩) આગમશ્રિત) એવા ત્રણ વિભાગ છે. આ બધાને ક્રમસર નીચે મુજબ રજુ કરવામાં આવે છે:
(૧) પ્રત્યક્ષ પ્રમાણ (૨) અનુમાન પ્રમાણ (૩) ઉપમાન પ્રમાણ (૪) આગમ (શાસ્ત્ર) પ્રમાણ. આ ચારે પ્રમાણોને હવે આપણે ક્રમશઃ સમજીએ..
પ્રત્યક્ષ પ્રમાણ : આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ આપણી પાંચ ઈંદ્રિયો છે. આ પાંચ ઈંદ્રિયો તથા મન દ્વારા જે વસ્તુનો આપણને બોધ થાય, જે વસ્તુ આપણી સમજણમાં આવે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે એક ફુલ આપણા હાથમાં આવે, ત્યારે એના રૂપ, ગંધ, રંગ, આકાર વિગેરેનું જે જ્ઞાન આપણને થાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ ફુલ આપણા હાથમાં ન હોય અને આપણે જોઈ ન શકીએ એવી રીતે ક્યાંક નજીકમાં મૂકેલું હોય, ત્યારે પણ એની ગંધનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આ રીતે, નાક દ્વારા થતું બંધનું જ્ઞાન પણ પ્રત્યક્ષ પ્રમાણ છે.
આમાં, આપણી ઇન્દ્રિયો સાથે વસ્તુનો જે સંયોગ થાય છે તે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. જીભ સાથે સ્વાદનો, નાક સાથે ગંધનો અને કાન સાથે અવાજનો જે સંબંધ જોડાય છે તેથી દરેક વખતે આપણને તે તે વસ્તુનું જ્ઞાન થાય છે. '
આ ઇંદ્રિયો તથા મન દ્વારા જે જ્ઞાન થાય છે તેને જૈન દાર્શનિકોએ