SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મા ૮૪ નામ અનેકાંત અને ચાદ્વાદ પણ મૂળ વિષય પર પાછા હવે આપણે આવીએ. પાંચ કારણો એક સાથે મળીને એક કાર્યને કેવી રીતે પૂર્ણ કરે છે તે આપણે ઉપર આપેલા નિગોદના જીવના દષ્ટાંતથી જોયું. પણ આ તો ઘણી ઉંચી ભૂમિકાની વાત થઇ. આપણે હવે એક સાદું અને બુદ્ધિગમ્ય દષ્ટાંત લઇએ. એક કાપડની નવી મીલ ઉભી કરવાની છે. એ માટે, પ્રારબ્ધથી પ્રાપ્ત થએલી લક્ષ્મી (મુડી), ઉદ્યમથી તૈયાર કરેલી યોજના અને એ ઉદ્યોગના સંચાલનને બરાબર સમજી શકે તેવા ગુણ-સ્વભાવ-વાળા ટેકનીશિયનો તથા શ્રમજીવીઓ અને એ બધાયનો ભેગો પુરૂષાર્થ યા ઉદ્યમ, એમ ‘કર્મ ઉદ્યમ અને સ્વભાવ એ ત્રણ કારણો ભેગા થાય ત્યારે કાર્યની શરૂઆત થાય છે. આમ છતાં, કાળ પરિપક્વ થયા વિના એ મિલમાંથી કાપડ બહાર નીકળતું નથી. મિલ માટે મકાનો બાંધવામાં, મશિનસ (મંત્રો) ઇત્યાદિ મેળવીને એનું સ્થાપન કરવામાં અને એકથી માંડીને અનેક પ્રકારની વિધિ (Process) માં પસાર થઇને કાપડને તૈયાર થતાં સમય (કાળ) તો લાગે જ છે. Capital Planning, construction, Erection,Administration, Execution, Processing, Finishing - મૂડી, નિયોજન, બાંધકામ, યંત્રોની ગોઠવણી, વ્યવસ્થા, વહીવટ, વિધિ, છેલ્લી પૂર્ણતા - વિગેરે કેટલી બધી બાબતોની તેમાં જરૂર પડે છે? આ બધામાં પાછી નિપુણતા તો જોઈએ જ. • આમ છતાં, આ બધીય અનુકુળતાઓ હોવા છતાં, ભવિતવ્યતાનો સહકાર જો ન મળે, તો બન્યો બનાવ્યો ખેલ પણ બગડી જાય છે.. આમ, પાંચેય કારણોનો સહકાર જ્યાં સુધી ના મળે, ત્યાં સુધી, કપાસમાંથી કાપડ, ઘાસમાંથી દૂધ, ઘઉંમાંથી રોટલી, ડાંગરમાંથી ભાત, શેરડીમાંથી સાકર કે ખાણના સુવર્ણયુક્ત પથ્થરમાંથી અલંકાર બનતા નથી. આવી જ રીતે, જડ કાર્ય કે ચેતનકાર્ય, કોઇપણ કાર્યની પાછળ, પાંચેય કારણો રહેલા હોય જ છે. કોઈપણ એક જ કારણ એકલું, કોઈપણ કાર્યને પૂર્ણ કરી શકતું નથી. આમાં એટલું છે કે કોઇપણ એક કારણ તેમાં પ્રધાનપણે, મુખ્ય ભાગ ભજવતું દેખાય; પરંતુ એ પાંચે જયાં સુધી એકઠા મળતા નથી, ત્યાં સુધી કોઇપણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. અહીં એક વાત બરાબર ખ્યાલમાં રાખવાની છે કે અવસ્થા અને પ્રસંગ અનુસાર અમુક કારણ પ્રાધાન્ય ભોગવતું હોય છે. • | દુધમાં મેળવણ નાંખવાથી દહીં બની ગયું, તેમાં, મેળવણ નાંખવાનો ઉદ્યમ એ મુખ્ય કારણ થયું. પરંતુ એકલા ઉદ્યમ માત્રથી જ દુધમાંથી દહીં બની ગયું એમ કોઈ માનતું નથી. જો એમ જ હોત તો દહીં કદી પણ બગડી ના જાત. એવું જ પ્રત્યેક કાર્યનું સમજવું.
SR No.005883
Book TitleAnekant Syadwad
Original Sutra AuthorN/A
AuthorChandulal Shakarchand Shah
PublisherBabubhai Kadiwala
Publication Year2003
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy