________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - આકાશમાં રહેલા ચંદ્રનું પ્રતિબિંબ પ્રભુના મસ્તક પર રહેલા છત્રકલશમાં પડે છે. તે છત્રકલશ ચંદ્રકાંત મણિનો રચેલ છે તેથી તેની ઉપર ચંદ્રની કાંતિ પડવાથી તે ઝરે છે. તે ઉપર કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે, ચંદ્ર આકાશમાં રહીને પ્રભુની ઉપર દૂધની ધારાથી સ્નાત્રવિધિ કરે છે. સ્નાત્રવિધિ કરવામાં જેમ કલશ વડે જલધારા કરવી જોઈએ અને પુષ્પનો ઉપહાર ચડાવવો જોઈએ તેમ અહિં ચંદ્રના કીરણો જાલીના છિદ્રોમાંથી થઇને ચંદ્રકાંતમણિના છત્ર ઉપર પડે છે, તેથી છત્રમાંથી નીકળતા ઝરણા વડે ચંદ્ર છત્રરુપ કલશમાંથી પ્રભુના મસ્તક ઉપર દૂધના જેવાં જલની ધારા રેડે છે. ચૈત્યના આંગણામાં મણિ જડેલા છે, તેની અંદર તારાઓના પ્રતિબિંબ પડવાથી તે દિવ્ય પુષ્પના ઉપહાર જેવા લાગે છે તેથી કવિએ તેને પુષ્પોપહારની ઉપમા આપેલી છે. આ ઉપરથી પ્રભુના મસ્તક પર આવેલું છત્ર અને ચૈત્યના આંગણાની ભૂમિ મણિમય છે, એ વાત જણાવી છે. ૨૫ यस्मिन् वितानगतरूपकबिंबभाजः स्तंभानुपेत्य विकटस्फटिकप्रकृष्टान् । दौवारिकभ्रमवशादनुकूलयंति मध्यप्रवेशरभसैर्नगरस्य नार्यः ॥ २६ ॥
૩૦
अवचूर्णि :- यस्मिन् प्रासादे नगरस्य नार्यः मध्यप्रवेशरभसैर्वितानगतरूपकबिंबभाजः विकटस्फटिकप्रकृष्टान् स्तंभान् उपेत्य दौवारिकभ्रमवशात् अनुकूलयंति । चंद्रोदयगतरूपबिंबं भजंतीति 'भजो વિષ્ણુ' (સિદ્ધહેમ, ૧/૨/૧૪૬) કૃતિવિદ્ પ્રત્યયઃ ‘અપ્રયોગીત’ (सिद्धम. १/१/३७ ) इति विण्लोपे वृद्धौ च । उपेत्य आगत्य उपपूर्वक इणज् गतौ क्त्वा यपि तोंते च उपेत्येति रूपं । अनुकूलं कुर्वंतीति अनुकूलयंति ‘નિવૃત' (સિદ્ધહેમ ૩/૪/૪૨) કૃતિ ગિનિ અનુકૂનયંતિ આવર્નયતીત્યર્થ: ||૬||
...