________________
XXII
श्रीकुमारविहारशतकम्
{મહારાજા કુમારપાળની આરાધના
કુમારપાળ મહારાજાએ સમ્યકત્વ મૂળ બાર વ્રતોનું પોતાના જીવનમાં પાલન કર્યું હતું. સમ્યક્તની આરાધના - ૧) તેઓ દરરોજ ત્રિકાળ જિનપૂજા કરતા હતા. ૨) આઠમ, ચૌદસ વગેરે પર્વતિથિએ ઉપવાસસહિત પૌષધ કરતાં
હતા અને પારણે કોઈ પુરૂષ દષ્ટિગોચર થાય તેને યથાર્થવૃત્તિદાન આપી સંતુષ્ટ કરતા હતા. ' પોતાની સાથે પૌષધ કરનારાઓને કુમારપાળ મહારાજા પોતાના
મહેલમાં પારણુ કરાવતા હતા. ૪) પોતાના ગરીબ અને સાધનહીન સાધર્મિકોનો ઉદ્ધાર કરવામાં
સદા તત્પર રહેતા હતા. એ માટે દરરોજ એક હજાર દીનારનો
ખર્ચ કરતા હતા. ૫) એક વર્ષમાં સાધર્મિક ભક્તિનિમિત્તે એક કરોડ દીનારનો વ્યય
કરતા હતા. એમ ૧૪ વર્ષમાં સાધર્મિકભક્તિમાં ૧૪ કરોડ | દીનારનો સદુપયોગ કર્યો. ૬) ૮ લાખ રૂપિયા ઉચિતદાનમાં ખરચ્યા. ૭) નિઃસંતાન વિધવાઓનુ ઉર લાખ રૂપિયાનું ઋણ માફ કર્યું. ૮) ૨૧ જ્ઞાનભંડાર તૈયાર કરાવ્યા. ૯) સ્વદ્રવ્યથી ૯૬ કરોડ રૂપિયાના ખર્ચે ત્રિભુવનપાલવિહાર' નામે -
જિનમંદિર બંધાવ્યું. તેમાં દરરોજ સ્નાત્ર મહોત્સવ કરતા હતા.