SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् . अवचूर्णि:- यत्र प्रासादे नैर्मल्यश्रीप्रभावप्रहसितवियतां चंद्रकांतोत्तरंगप्रांतानां संगमेन श्लेषणेन क्वचिदपि नितरां एकदा भग्नमौलिः कोऽपि आकाशेऽपि प्रहारप्रतिभयतरलः ऊर्ध्वबाहुः कोऽपि सोष्णीषः कश्चित् नेत्रं वामनीकृत्य सुचिरं शनैः शनैः विचरति । सोष्णीषः साटोपः। नैर्मल्यस्य श्रीस्तया प्रहसितानि वियंति आकाशानि यैस्तेषां द्वारि ऊर्ध्वदारूणां उत्तरंगाणाम् ॥८॥ ભાવાર્થ - જે ચૈત્યની અંદર નિર્મળતાના પ્રભાવથી જેમણે આકાશને પણ હસી કાઢ્યા છે એવા ચંદ્રકાંતમણીના દ્વાર ઉપરના છજાઓની સાથે કોઈ એકવાર ક્યાંઈક અથડાવાથી જેના મસ્તકમાં વાગેલું છે, એવો કોઈ પુરૂષ આકાશમાં પણ ભયથી ચપલ થઈ ઉંચા હાથ કરી ચાલે છે, કોઈ માથે પાઘડી કે ટોપ રાખે છે અને કોઈ આંખોને વાંકી કરી હળવે હળવે ચાલે છે. ૮૧ ( વિશેષાર્થ - તે ચૈત્યમાં આકાશથી પણ વધારે નિર્મલ એવા ચંદ્રકાંત મણિમય દ્વારની ઉપર તે મણિના છાં છે. તેની નીચે ચાલતાં કોઈ માણસનું કોઈ વાર મસ્તક અથડાયું અને તેથી તેને ઈજા થઈ એટલે પછી, તે માણસ પસાર થાય છે, ત્યારે આકાશ હોય તો પણ વાગવાના ભયથી ઉચા હાથ કરી ચાલે છે. કોઈ તેવા જ ભયથી માથે ટોપી રાખે છે અને કોઈ રખેને વાગશે' એવી ધાસ્તીથી આંખો વાંકી કરી હળવે હળવે ચાલે છે. આ શ્લોકમાં કવિએ સ્વભાવોક્તિ અલંકાર દર્શાવ્યો છે. અને ચૈત્યના ચંદ્રકાંત મણિના દ્વારની નિર્મળતા દર્શાવી છે કે જે નિર્મળતા આકાશથી પણ વધારે છે. ૮૧
SR No.005880
Book TitleKumar Viharshatakam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy