________________
૧
દશલક્ષણ મહાપર્વ
જયારે પણ પર્વ સંબંધી ચર્ચા નીકળે છે તો એનો સંબંધ ઘણુંકરીને ખાવા–પીવા અને ખેલવા સાથે જોડવામાં આવે છે. જેમકે – રક્ષાબંધનના દિવસે લોકો ખીર અને લાડુ ખાય છે, ભમરડાથી રમે છે, રાખડી બાંધે છે, હોળીના દિવસે અમુક પકવાન ખાય છે, એકબીજાને રંગ છાંટે છે અને હોળી પ્રગટાવે છે, દિવાળીના દિવસે ફટાકડા ફોડે છે, દીપમાળા પ્રગટાવે છે, નિર્વાણ—લાડુ ચઢાવે છે અને અમુક પકવાન જમે છે – ઈત્યાદિ.
પરંતુ અષ્ટાહ્નિકા (અઠાઈ) અને દશલક્ષણ જેવાં જૈન પર્વોનો સંબંધ ખાવા–પીવા અને ખેલવા સાથે ન હોતાં ખાવા–પીવા અને ખેલવાના ત્યાગ સાથે છે આ ભોગના નહીં, ત્યાગનાં પર્વ છે, અને તેથી જ મહાપર્વ કહેવાય છે. આ પર્વોની મહાનતા ત્યાગને કારણે છે, અમન—ચમનને કારણે નહીં.
આપ કોઈપણ જૈનને પૂછો કે દશલક્ષણ મહાપર્વ કેવી રીતે ઉજવવામાં આવે છે તો તે આ જ ઉત્તર આપશે કે આ દિવસોમાં લોકો સંયમથી રહે છે; પૂજા-ભકિત કરે છે, વ્રત–નિયમ–ઉપવાસ કરે છે, લીલોતરીનું સેવન કરતા નથી. સ્વાધ્યાય અને તત્વચર્ચામાં જ મોટા ભાગનો સમય વિતાવે છે. સર્વત્ર મોટા—મોટા પંડિતોની શાસ્ત્ર–સભાઓ થાય છે અને તેમાં ઉત્તમક્ષમાદિ દશ ધર્મોનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.બધા જ લોકો કાંઈક ને કાંઈક ત્યાગ-વિરાગતા ધારણ કરે છે, દાન આપે છે, ઈત્યાદિ અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યોમાં પરોવાયેલા રહે છે. સર્વત્ર એક પ્રકારનું ધાર્મિક વાતાવરણ જામેલું રહે છે.
પર્વ બે પ્રકારના હોય છે –(૧) શાશ્વત અને (૨) સામયિક, આને આપણે અનુક્રમે વૈકાલિક અને તાત્કાલિક પણ કહી શકીએ.
તાત્કાલિક પર્વ બે પ્રકારના હોય છે – (૧) વ્યકિત-વિશેષ સાથે સંબંધિત અને (૨) ઘટના વિશેષ સાથે સંબંધિત.
દિવાળી, મહાવીર-જયંતી, રામનવમી, જન્માષ્ટમી વગેરે પર્વ વ્યકિતવિશેષ સાથે સંબંધ ધરાવતા પર્વ છે, કેમકે દિવાળી અને મહાવીર—જયંતી અનુક્રમે ભગવાન મહાવીરના નિર્વાણ અને જન્મ સાથે