________________
અભિમત)
૧૯૧ સારું કામ કર્યું છે. માનનીય વિદ્વાને પોતાની સુબોધ શૈલીમાં દશધર્મો પર સારગર્ભિત અને મૌલિક વિચાર પેશ કર્યા છે. જે વાંચીને દરેક પાઠક આ ધર્મોના વાસ્તવિક રહસ્યને સરળતાથી જાણી શકે છે તથા તે પર ચિંતન અને મનન કરી શકે છે. પુસ્તકની છપાઈ અને દેખાવ નયનરમ્ય છે.
-કસ્તુરચંદ કાસલીવાલ
ડૉ. જયોતિપ્રસાદ જૈન, લખનઊ (ઉ.પ્ર.)
ડૉ હુકમચંદ ભારિત આધ્યાત્મિક શૈલીમાં પ્રતિષ્ઠિત સુચિત્તક, સુવકતા, સુલેખક છે. પ્રસ્તુત પુસ્તકમાં તેમણે પ્રસાદ ગુણસંપન્ન શૈલીમાં ધર્મના ઉત્તમ ક્ષમાદિ દશ પારસ્પરિક લક્ષણો અથવા આત્મિક ગુણોનું યુકિતયુકત વિવેચન કર્યું છે, જે સૈદ્ધાંતિકંથી અધિક મનોવૈજ્ઞાનિક છે, અને સાધકની વિવિધ ભૂમિકાઓનાં સંદર્ભમાં અત્તર અને બાહ્ય નિશ્ચય અને વ્યવહાર, વિવિધ દૃષ્ટિઓના સમાવેશની કારણે વિચારોત્તેજક છે; તેથી પઠનીય તેમજ મનનીય છે.
–જયોતિપ્રસાદ જેન
ડૉ. રાજેન્દ્રકુમાર બંસલ, કાર્મિક અધિકારી, ઓ.પી.મિલ્સ,
શહડોલ (મ.પ્ર.) લેખકે આત્મકલ્યાણ-પરક પાઠકો અને સત્યાન્વેષી જિજ્ઞાસુઓ માટે સારગર્ભિત, ઉપયોગી તથા તલસ્પર્શી સામગ્રી પ્રસ્તુત કરી છે, જે વાંચીને પાઠકના મનમાં અજ્ઞાનતાયુકત પરમ્પરાગત ધાર્મિક ક્રિયાઓની નિઃસારતા સ્વતઃ સહજરૂપે પ્રયટ થઈ જાય છે. લેખક ચિન્તનશીલ પાઠકના હૃદયને ઉલિત કરવામાં સફળ રહ્યા છે.
–રાજેન્દ્રકુમાર બંસલ
ડૉ. રાજકુમારજી જૈન, પ્રોફેસર, આગરા કોલેજ (ઉ.પ્ર.) .
ડૉ. ભારિલે આ ગ્રંથમાં ધર્મના દશ લક્ષણોની ઘણી જ વૈજ્ઞાનિક તથા