SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાવાણી) ૧૭૫ સમજતા નથી. પરંતુ જયારે સમજદાર લોકો સમજાવે છે તો સામાન્ય લોકોને પણ સમજમાં આવી જાય છે. એટલા માટે તો આટલું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. જો આ ભ્રમની સંભાવના ન હોત તો પછી આટલા સ્પષ્ટીકરણની આવશ્યકતા કેમ રહેત? આજનો માનવી દુનિયાદારીમાં તો ખૂબ જ ચતુર બની ગયો છે. શું દેશમાં જેટલી પણ મિલો, દુકાનો, ગાંધીજીના નામ પર છે એ બધાના માલિક ગાંધીજી છે? નહી, બિલકુલ નહીં, અને આ વાત સૌ સારી રીતે સમજે પણ છે પરંતુ કોણ જાણે આધ્યાત્મિક બાબતોમાં આ પ્રકારના ભ્રમોમાં કેમ ગુંચવાઈ જાય છે? વસ્તુતઃ વાત તો એ છે કે આધ્યાત્મિક બાબતોમાં કોઈ પણ વ્યકિત પોતાની બુદ્ધિને કસવા જ માગતો નથી. ગંભીરતાથી વિચારે જ નહીં તો સમજમાં કેવી રીતે આવે? જો સામાન્ય માણસ પણ કાંઈક થોડા ઊંડાણથી વિચાર કરે તો બધું સમજમાં આવી શકે છે. દશલક્ષણ મહાપર્વની, જેમ ક્ષમાવાણી ઉત્સવ પણ વર્ષમાં ત્રણ વાર ઊજવવો જોઈએ; પરંતુ જયારે દશલક્ષણપર્વ પણ ત્રણવાર ઉજવવામાં આવતું નથી, તો પછી આને કોણ ઊજવે? ઠીક, જેમ હોય તેમ, પરંતુ વર્ષમાં એકવાર તો આપણે આને ખૂબ ઉત્સાહથી ઊજવીએ જ છીએ. આ કારણે પણ એનું મહત્વ વિશેષ વધી જાય છે, કેમકે મનની મલિનતા અને વેરભાવ ધોવાનો-દૂર કરવાનો અવસર એક વખત જ પ્રાપ્ત થાય છે. વર્ષમાં ત્રણ વાર ક્ષમાવાણી આવવાનું પણ કારણ છે. અને તે આ છે કે અપ્રત્યાખ્યાન કષાય છ માસથી અધિક રહેતો નથી. જો એથી વધારે રહે તો સમજી લેવું જોઈએ કે એ અનંતાનુબંધી છે. અનંતાનુબંધી કષાય અનંત સંસારનું કારણ છે. તેથી જો ક્ષમાવાણી છ માસની અંદર જ થઈ જાય અને એના નિમિત્તથી આપણે છ માસની અંદર જ ક્રોધમાનાદિ કષાયભાવોને ધોઈ નાખીએ તો ઘણું સારું થાય. "વેરભાવ તો એક દિવસ પણ રાખવાની વસ્તુ નથી. પ્રથમ તો વેરભાવ ધારણ જ ન કરવો જોઈએ. જો કદાચ થઈ જાય તો એને તરત જ દૂર કરી
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy